હેલ્થ એક્સ્પર્ટનું કહેવું છે કે દરેક ઋતુની જેમ શિયાળાની ઋતુમાં પણ ખાણી-પીણીમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.
જાણો શિયાળામાં ખજૂર ખાવાના ફાયદાઓ વિશે
બાળકોથી લઈને વૃદ્ધો માટે ફાયદાકારક
ગુણોનો ભંડાર છે ખજૂર
ખજૂર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળામાં તે ખાવાના ઘણા ફાયદા છે. હેલ્થ એક્સ્પર્ટનું કહેવું છે કે દરેક ઋતુની જેમ શિયાળાની ઋતુમાં પણ ખાણી-પીણીમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ ઋતુમાં અમુક ખોરાકનું સેવન કરવાથી આપણા શરીરને વિશેષ લાભ મળે છે. નિષ્ણાતોના મતે તમામ પ્રકારની ખજૂર માનવ-શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં ખજૂર ખાવી જ જોઈએ, જેથી તમારું શરીર ગરમ રહે. આમ તો દરેક ઋતુમાં ખજૂર ખાઇ શકાય, પરંતુ શિયાળામાં તે ખાવી બેસ્ટ ગણાય છે.
બાળકોથી લઈને વૃદ્ધો માટે ફાયદાકારક
શિયાળામાં ઘણીવાર જોવા મળે છે કે શરદી તમને પોતાની ઝપટમાં લઈ લે છે, તેથી ખજૂરનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો શરદીની સમસ્યા સતત રહેતી હોય તો એક ગ્લાસ દૂધમાં પાંચથી છ ખજૂર નાખીને તેમાં પાંચ દાણા કાળાં મરી, એક એલચી અને એક ચમચી ઘી નાખીને ઉકાળો, રાતે સૂતાં પહેલાં પીવાથી શરદીમાં આરામ મળે છે. તેનાથી બાળકો, વડીલો અને વૃદ્ધો બધાંને ફાયદો થાય છે ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે શા માટે ખાસ છે?
૧૦૦ ગ્રામ ખજૂરમાં ૭૫ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. આ સિવાય તે ૨૭૭ કેલરી એનર્જી આપે છે. ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન, વિટામિન-બી૬ અને વિપુલ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. ખજૂરમાં એિન્ટઓક્સીડેન્ટ પણ મળી આવે છે. આ જ કારણ છે કે ખજૂર મગજના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ફળ છે. ખજૂરમાં કોલેસ્ટ્રોલ હોતું નથી. ચરબી પણ ઘણી ઓછી હોય છે. તેથી તે હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ખજૂરમાં પોષક તત્ત્વો મળી આવે છે
ખજૂર પોષક તત્ત્વોથી ભરપૂર છે. ખજૂરને અજાયબી ફળ તરીકે પણ ગણી શકાય. આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, એમિનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સથી ભરપૂર ખજૂર તમારા આરોગ્યની સાથે તમારી સુંદરતામાં પણ વધારો કરી શકે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો ભંડાર ખજૂર ડાયાબિટીસમાં મદદરૂપ છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તમે દિવસમાં ત્રણથી ચાર ખજૂર ખાઈ શકો છો. ખજૂરનું સેવન કરવાથી આ લાભ થાય છે.
પાચનમાં મદદરૂપ
ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. શરીરમાં આયર્નની ઊણપ તેના સેવનથી પૂરી થાય છે. ખજૂરમાં ફાઈબર પણ મળી આવે છે, જે પાચનતંત્રને યોગ્ય રાખે છે. દરરોજ પલાળેલી ત્રણ-ચાર ખજૂર ખાવાથી પેટની સમસ્યા દૂર થાય છે.
હાડકાંને મજબૂત બનાવે છે
ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને સેલેનિયમ હોય છે. તેથી ખજૂરનું નિયમિત સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.
વજન વધારવા માટે
જો તમારું વજન ઓછું હોય તો ખજૂરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં ખાંડ, વિટામિન્સ અને ઘણાં જરૂરી પ્રોટીન હોય છે, જે વજન વધારવાનું કામ કરે છે. જો તમે ખૂબ જ પાતળા છો તો દરરોજ ચારથી પાંચ ખજૂર ખાવાનું શરૂ કરો.
એનર્જી લેવલ વધારો
કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્રોત હોવાના કારણે ખજૂર કસરતની કામગીરીમાં પણ સુધારો કરે છે. સૌથી સારી વાત એ છે કે ખજૂર વજન વધાર્યા વગર શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવાનું કામ કરે છે.
કાર્ડિયાક આરોગ્યમાં સુધારો
ખજૂરમાં મોટી માત્રામાં એિન્ટઓક્સીડેન્ટ છે, જે ધમનીના અવરોધને રોકવામાં મદદ કરે છે, ખજૂરમાં તમારી રક્તવાહિનીની તંદુરસ્તીને સુધારવા માટે જાણીતી ઇસોફ્લાવોનો અને ફાયટોસ્ટ્રોજનની ઊંચી સંખ્યા પણ છે.
કયા સમયે સેવન કરવું
લોહીની અછત હોય તો ખજૂરને રાતે પલાળી સવારે દૂધ કે ઘી સાથે ખાવાથી ફાયદો થાય છે. આ સિવાય ત્રણથી ચાર ખજૂર ગરમ પાણીમાં ધોઈને ગાયના દૂધ સાથે ઉકાળો અને ઉકાળેલું દૂધ સવાર-સાંજ લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.
આ રીતે સેવન કરો
તમે સામાન્ય રીતે પણ ખજૂર ખાઈ શકો છો, પરંતુ જો ખજૂરને દૂધમાં પલાળીને થોડીવાર ઉકાળવામાં આવે તો તેના સ્વાસ્થ્ય લાભ ૧૦૦ ગણા વધી જાય છે.