ગરમીના દિવસોમાં ખીરા કાકડી ભરપુર પ્રમાણમાં મળે છે. તેમાં ભરપુર પ્રમાણમાં પાણી હોવાથી ક્યારેય શરીરમાં પાણીની કમી સર્જાતી નથી. એટલુ જ નહી, ખીરા ઘણા હેલ્થ પ્રોબલેમથી પણ બચાવે છે. આજે તમને ખીરાના એવા કેટલાક ફાયદા ગણાવીએ કે તમે આજથી જ તેનુ સેવન શરૂ કરી દેશો.
- ખીરામાં 95 ટકા પાણી હોય છે, જે શરીરમાં પાણીની કમી પુરી કરવા સાથે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
- વિટામીન યુક્ત ખીરા ખાવાથી શરીરને દિવસભર એનર્જી મળતી રહે છે. ખીરા ખાવાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટે છે. તેનાથી
હ્રદય સંબંધિત રોગ પણ દુર રહે છે
- વજન ઘટાડવા માટે સૌથી જરૂરી હોય છે કેલરી ઇનટેકમાં કમી, તેમાં ખીરા ખુબ મદદગાર છે. તેમાં કેલરી ઝીરો હોય છે.
વજન ઘટાડવા માટે તમે ખીરામાંથી બનેલુ ડિટોક્સ ડ્રીંક કે સલાડ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.
- ખીરામાં કોલેસ્ટ્રોલ લેવલ ઝીરો હોય છે. સાથે તેમાં મળી આવતુ સ્ટ્રેરોલ તત્વ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. જે
લોકોને દિલની બિમારી હોય તેણે રોજ ખીરા કાકડી ખાવી જોઇએ.
- ખીરામાં ફાઇબર વધુ માત્રામાં મળી આવે છે. ખીરા કબજિયાતમાંથી મુક્તિ અપાવવાની સાથે સાથે પેટ સાથે જોડાયેલી
દરેક સમસ્યા દુર કરે છે.
- જમવામાં રોજ તેનો ઉપયોગ કરવાથી પથરીની પરેશાનીથી બચી શકાય છે. તે પિત્ત અને કીડનીની પથરીથી બચાવે છે.
ખીરાના રસને દિવસમાં 2-3 વાર પીવાનુ લાભદાયક છે.
- રોજ ખીરા ખાવાથી કેન્સરનો ખતરો ઘટે છે. તેમાં રહેલા તત્વ તમામ પ્રકારના કેન્સરને રોકે છે.
- હાઇ બ્લડપ્રેશરથી રાહત મેળવવા માટે ખીરાનુ સેવન સારુ માનવામાં આવે છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે. તે
શરીરને ઠંડુ રાખે છે.
- તે લેડીઝને માસિક દરમિયાન થતી પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. દહીંમા ખીરાને મેશ કરીને તેમાં ફુદીનો, મરી, સંચર,
જીરા અને હિંગ નાંખીને ખાવાથી તેમાં આરામ મળે છે.
- રોજ દાંત સાફ કર્યા છતા મોંમાથી દુર્ગંધ આવતી હોય તો મોંમા એક ખીરાનો ટુકડો રાખી દો. જીવાણુઓ મરી જશે.
- ખીરા ખાવાથી કે તેનો રસ ચહેરા પર લગાવવાથી ટેનિંગ, સનબર્ન, રેશીઝ જેવા ત્વચાના પ્રોબલેમથી છુટકારો મળે છે.