ઉનાળામાં સૌથી વધુ શરીરમાં પાણીની કમી સર્જાય છે. પાણીની કમીથી બચવા માટે ઘણાં ફળ, ફ્રુટ અને પીણાઓ મદદરૂપ થાય છે.ઘણાં બધા ફળોમાં 90 ટકા સુધી હોય છે પાણી જે શરીરના પાણીની કમી દુર કરે છે.
લસ્સી અને નારીયેલ પાણીથી મળશે લૂ માંથી મુક્તિ
તરબૂચ અને કાકડી માં હોય છે 90 ટકા પાણી
લીંબુ પાણી આપણે અંદરથી તાઝગી
કાકડી, તરબૂચ અને લસ્સી એવી વસ્તુઓ છે જે તમે ઉનાળામાં સૌથી વધુ ખાવાથી થશે ફાયદો જ ફાયદો. હકીકતમાં આ વસ્તુઓમાં 90 ટકા સુધી પાણી હોય છે, જેથી તમારા શરીરમાં પાણીની કમી ન રહે અને શરીર હાઇડ્રેટેડ રહે. સાથે જ લૂ નો સામનો પણ ન કરવો પડે. તો ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે, જેના સેવનથી તમારુ શરીર ઉનાળાનો સામનો કરી શકશે.
લીંબુનું શરબત પીવો
લીંબુને તમારા આહારમાં સામેલ કરો. ઉનાળાની ઋતુમાં લીંબુનું સેવન એકદમ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઋતુમાં લીંબુ પાણીનું સેવન કરવાથી ગરમી અને લૂ સામે તો રક્ષણ મળે જ છે સાથે સાથે વ્યક્તિને અંદરથી તાજગીનો અનુભવ પણ થાય છે.
લસ્સીથી ફાયદો થશે
ઉનાળો શરૂ થતા જ મોટાભાગના લોકો લસ્સી પીવાનું શરૂ કરી દે છે. વાસ્તવમાં લસ્સી પેટની ગરમીને દૂર કરીને શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ દહીં, રાયતા અથવા લસ્સીનો એક વાટકો તમારા આહારમાં શામેલ કરવો જોઈએ.
નારિયેળ પાણી પણ છે ફાયદાકારક
ઉનાળામાં દરેક વ્યક્તિએ નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ઉનાળામાં દરરોજ નાળિયેર પાણી પીવાનો પ્રયત્ન કરો, કારણ કે તે પાણીની કમી દૂર થાય છે.
ઉનાળામાં તરબૂચ અને કાકડી ખાઓ
ઉનાળામાં તરબૂચ અને કાકડી માર્કેટમાં ખુબ નઝર આવે છે. વાસ્તવમાં આ બંનેમાં 90 ટકા પાણી હોય છે, જે તમારા શરીર માટે સારું છે. ઉનાળામાં શરીરની પાણીની કમીને પહોંચી વળવા માટે આ બંને ફળો ખૂબ જ ઉપયોગી છે.
સત્તુ ખાવાથી પણ ફાયદો થશે.
ઉનાળામાં સત્તુ ખાવું જોઈએ. ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી પેટ સારું રહે છે. આ સાથે એસિડિટીની સમસ્યાનો પણ અંત આવી જાય છે. ચણામાંથી બનેલા સત્તુમાં પણ સારી માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં લોહીની કમીને પણ દૂર કરે છે.