અત્યારે સમગ્ર વિશ્વના લોકો કોરોનાના કહેરથી પરેશાન છે. સાથે જ દેશમાં ચોમાસુ શરૂ થઈ જતા બીમારીઓ અને સંક્રમણ થવાનો ખતરો પણ વધી ગયો છે. એવામાં જો તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ હશે તો તમને સીઝનલ બીમારીઓની સાથે કોરોના સામે પણ રક્ષણ મળશે. તેના માટે તમારે બસ રોજ જમવા સાથે એક ચટણી ખાવાની જરૂર છે. જી હાં, આ જેવી-તેવી ચટણી નથી, આ ચટણી રોજ ખાવાથી રોગો તમારી પાસે નહીં આવે અને ઈમ્યૂનિટી પણ વધશે. ચાલો જાણી.
રોગો અને સંક્રમણથી બચવા રોજ જમવા સાથે ખાઓ આ ચટણી
એકદમ સરળતાથી ઘરે જ કરો તૈયાર
આ ચટણી લીમડાના પાનથી બને છે
કડવા લીમડાની ચટણી
કડવા લીમડામાં અનેક ઔષધિય ગુણો રહેલાં છે. એવામાં તેને ખાવાથી અઢળક ફાયદાઓ મળે છે. એકલા લીમડાની ચટણી ખાલી મુશ્કેલ છે કારણ કે તેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. પણ જો તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ચટણી બનાવવામાં આવે તો તેના સ્વાદ પણ સારો લાગશે અને ફાયદા તો મળશે જ.
આટલી વસ્તુઓ જોઈશે
લીમડાના પાન
કોકમ
ગોળ
મીઠું
જીરું
આ રીતે કરો તૈયાર
સૌથી પહેલાં લીમડાના પાન લઈને તેને ધોઈ લો. પછી તમારી જરૂર મુજબ તેમાં કોકમ, જીરું, મીઠું નાખીને મિક્સરમાં બધું બ્લેન્ડ કરી લો. હવે એક પેનમાં થોડો ગોળ લઈને તેને ધીમી આંચ પર પકાવો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને તેને બાઉલમાં કાઢી લો. હવે તેમાં લીમડા જે પેસ્ટ તૈયાર કરી તે મિક્સ કરી લો. બસ તૈયાર છે તમારી ચટણી.
કડવા લીમડાના ફાયદા
લીમડાના પાનના રસનું સેવન કરવાથી કિડનીના બધાં રોગ મટી જાય છે.
લીમડાની કૂંપણોનું સેવન કરવાથી સ્કિનની સમસ્યાઓ દૂર થાય છે.
મલેરિયા અને ડેન્ગ્યૂમાં પણ લીમડાના પાનનું સેવન લાભદાયી છે. તમે રોજ લીમડાના પાંચ પાન સવારે ચાવીને ખાઈ શકો છો.
લીમડાના પાનનું સેવન કરવાથી શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર થઈ જાય છે.
એલર્જી દૂર કરવામાં પણ લીમડાના પાન કારગર સાબિત થાય છે. લીમડાના પાનની પેસ્ટ સ્કિન પર લગાવવાથી સ્કિનના રોગો મટે છે.