કોરોનાના કારણે જાણે કે જિંદગી રોકાઇ ગઇ છે. ઘણા બધા લોકો લોકડાઉન દરમિયાન ડિપ્રેશનનો શિકાર થઇ રહ્યા છે. કેમકે કોરોના આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે અને સાથે સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ રહી છે. આ બધાની વચ્ચે દરેક વ્યક્તિએ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે જ લોકો કહી રહ્યા છે જાન હૈ તો જહાન હૈ. આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે દિવસભરનાં કામ કે અન્ય કોઇ બાબતને લઇને સ્ટ્રેસ અનુભવતા હો તો તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો. એવી ઘણી ફૂડ આઇટમ છે જે તમારા મૂડને સારો કરે છે અને માનસિક શાંતિ આપે છે.
સ્ટ્રેસથી દૂર રહેવા ખાવ ચોકલેટ
તમારા ડાયટમાં લાવો બદલાવ
ડાર્ક ચોકલેટઃ ડાર્ક ચોકલેટ એન્ટી ઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર છે. તેના સેવનથી મૂડ સારો રહે છે. તે તમારી હેલ્થ અને સ્કીનને સારી રાખે છે. તેમાં લગભગ ૭૦ ટકા કોકો હોય છે. આવા સંજોગોમાં તે બેસ્ટ મૂડ બસ્ટર માનવામાં આવે છે. ડાર્ક ચોકલેટમાં ખાંડની માત્રા ઓછી હોય છે તેથી તે ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સાથે દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી તણાવ ઘટે છે.
વિટામિન ડી : વિટામિન ડીની કમીથી શરીરની સાથે મૂડમાં પણ બદલાવ આવે છે. વ્યક્તિનું મગજ જ્યારે યોગ્ય રીતે કામ ન કરી શકે ત્યારે તણાવ અને સ્ટ્રેસ વધે છે. આવા સંજોગોમાં રોજ વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. આ માટે ડેઇલી ડાયેટમાં દલિયા, ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાયફ્રૂટ્સ, સંતરા જેવી ચીજોનું સેવન કરવું જોઇએ. તેનાથી મગજમાં સેરોટોનિનનુ લેવલ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. મૂડ સારો રહે છે અને તણાવ તેમજ એંગ્ઝાઇટી દૂર કરવામાં મદદ મળે છે.
ઓમેગા ૩ : ઓમેગા ૩ ફેટી એસિડ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે શરીરમાં લચક અને લોહીના પ્રવાહને યોગ્ય રાખવામાં મદદ કરે છે. રોજ મહિલાઓએ લગભગ ૧.૧ ગ્રામ અને પુરુષોએ ૧.૬ ગ્રામ ઓમેગા ૩ નું સેવન કરવું જોઇએ. ઓમેગા રીચ ફૂડ નટ્સ, ચિયા સિડ્સ, અળસીના બી વગેરેનું સેવન કરવાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત થાય છે. વાળ અને સ્કીન પણ સારા રહે છે. ઓમેગા ૩ તમારા મૂડને ઠીક કરવામાં પણ મદદ કરે છે.
લીલાં પાંદડાંવાળાં શાકભાજી : લીલાં પાંદડાંવાળાં શાકભાજીમાં વિટામિન, કેલ્શિયમ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપુર માત્રામાં હોય છે. રોજ તેનું સેવન કરવાથી મગજને યોગ્ય પોષણ મળે છે. તે મગજને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તેથી વ્યક્તિનો ડિપ્રેશનમાં જવાનો ખતરો અનેક ગણો ઘટી જાય છે.