જો તમને વધારે ભૂખ લાગી હોય અને ઉતાવળમાં હોવ ત્યારે તમે પૌંઆ ખાઈ શકો છો. આ એક હેલ્ધી ફૂ઼ડ હોવાની સાથે જો તેને બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં લેવાય તો તેના અનેક લાભ મળે છે. જો નાસ્તામાં પૌંઆ ખાઈને ઘરેથી નીકળો છો તો શરીરને 6 મોટા ફાયદા થાય છે. ભાગ્યે જ અનેક લોકો આ ફાયદા વિશે જાણતા હશે. આજથી જ જાણીને કરો પૌંઆનો નાસ્તામાં ઉપયોગ.
પૌંઆ છે એક હેલ્ધી ફૂડ
નાસ્તામાં પૌંઆ ખાવાથી મળે છે 6 મોટા ફાયદા
ઝડપથી બની જતો આ હેલ્ધી નાસ્તો એનર્જીથી ભરપૂર છે
ભરપૂર તાકાત આપે છે પૌંઆ
નાસ્તામાં પૌંઆ ખાવાથી મોટો લાભ એ થાય છે કે તેને થોડા પ્રમાણમાં ખાવાથી પણ એનર્જી વધારે મળે છે. પૌંઆમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. દિવસની સારી શરૂઆત માટે પૌંઆનો નાસ્તો લાભદાયી નીવડે છે.
સ્વાદ સાથે મળે છે પોષણ પણ
પૌંઆ બનાવતી સમયે અનેક પ્રકારના શાક, શિંગ, અન્ય ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરાય છે. કિશમિશ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. પોષણ ક્ષમતા વધારવા માટે પૌંઆ લાભદાયી રહે છે.
બોડીને શેપમાં રાખે છે
પૌંઆમાં ઘણી ઓછી કેલેરી હોય છે. દિવસની શરૂઆત પૌંઆ સાથે કરવાથી તમારા શરીરમાં ફેટ વધતી નથી. સાથે જ જરૂરી પોષક તત્વોની ખામી પણ પૂરાઈ જાય છે.
પેટ સાફ રહે છે
પૌંઆ પાચન સંબંધી તકલીફને દૂર કરવામાં મહત્વનું કામ કરે છે. પૌંઆ ફાઈબર યુક્ત લાઈટ ફૂ઼ડ છે. તે ધીમે ધીમે પચે છે અને શરીરને લાંબા સમય સુધી શક્તિ આપે છે. આંતરડા સહિત પાચનતંત્રને સાફ રાખવાનું કામ કરે છે.
શરીરમાં ઓક્સીજન વધારે છે
પૌંઆ એક એવું ભોજન છે જે આયર્નથી ભરપૂર છે. આ કારણે શરીરમાં હિમોગ્લોબીનની ખામી દૂર થાય છે. શરીરમાં જરૂરી પ્રમાણમાં આયર્નનું પ્રમાણ હોય તો શરીરમાં રક્તનો પ્રવાહ સારી રીતે વહન કરે છે. તેનાથી શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ વધે છે અને આપણે એક્ટિવ રહીએ છીએ.
ડાયાબિટિસમાં છે લાભદાયી
શુગરના દર્દી માટે સમસ્યા રહે છે કે પૌંઆ ખાવા કે નહીં. આ નાસ્તો ઓછા તેલમાં અને વધારે શાકથી બનતો હોવાથી તેને બ્રેકફાસ્ટમાં સરળતાથી ખાઈ શકાય છે.