કેરીમાં વિટામિન C, વિટામિન A સિવાય સિટ્રિક એસિડ, કાર્બોહાઈડ્રેટ, સલ્ફાઈડ, ગૈલિક એસિડ અને આર્યન હોય છે. જે ઘઉં અને ચોખા કરતા વધારે તાકાત આપે છે અને તમારુ પેટ ભરેલું રહે છે.
કેરી ખાવાના કારણે વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થતી નથી. કેરીમાં લેપ્ટિન હોય છે જે ભૂખને કંટ્રોલ કરે છે જ્યારે કેરીના ગોટલો શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છતા હો કે એક-બે મહિનામાં જ વજન ઓછું થવા લાગે તો દહીં અને કેરી ખાવાનું શરૂ કરી દો.
દહીં-કેરી સાથે ખાવાથી શરીરને જરૂરી એવા પોષક તત્વો મળે છે. તેમાં ફેટ હોતી નથી એટલે મોનો ડાયટ વેટ લોસ માટે સારૂ છે. જો તમે નાશ્તામાં કે લંચમાં માત્ર દહીં અને કેરી ખાશો તો તમારૂ વજન ઝડપથી ઓછું થવા લાગશે. કેરી-દહીં ખાધા બાદ તમારે માત્ર પાણી પીવાનું છે.
એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે દહીં અને કેરી ખાઓ છો ત્યારે તેની સાથે બીજું કઈ ખાવું નહીં. નહીં તો આ ડાયટ પ્લાન કામ નહીં કરે. દિવસ દરમિયાન ત્રણ લિટર પાણી પીવુ ખૂબ જરૂરી છે. મોનો ડાયટ કોઈ પ્રકારનું વ્રત નથી, આ એક ડાયટ થેરેપી છે. જેનાથી મગજ તેજ થાય છે સાથે જ તમારૂ વજન પણ ઘટે છે.
- કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, કેરીના ગોટલામાં રહેલા રૈશા અને ફેટ શરીરની વધારાની ચરબી દૂર કરવામાં મદદરૂપ થાય છે. કેરીમાં લેપ્ટિન કેમિકલ હોય છે જેનાથી ભૂખ ઓછી લાગે છે.કેરીમાં લો કોલેસ્ટ્રોલ હોય છે. કેરીમાં રહેલું એડિપોનેક્ટિન, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
- કેરીમાં ફાયબર વધારે માત્રમાં હોય છે, તેથી તેને દહીં સાથે ખાવાથી પાચન શક્તિ સારી થાય છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે, જે ડાઈજેશન માટે બેસ્ટ છે.