વિટામીન સી અન્ય વિટામીન્સની તુલનામાં અનેક ગણુ વધુ જરુરી છે. વિટામીન સી આપણા આરોગ્યની સાથે સાથે સૌંદર્ય અને ત્વચા માટે પણ જરુરી છે. વિટામીન સી ભરપુર પ્રમાણમાં લેવાથી તમારી ત્વચા પણ ચમકી ઉઠશે.
કેન્સરથી બચાવ
વિટામીન સી એક બહેતર એન્ટી ઓક્સિડન્ટ છે, તે કેન્સર અને અન્ય બિમારીઓ ઉત્પન્ન કરનાર ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક ક્ષમતાને વધારીને કેન્સર સામે લડવામાં મદદગાર સાબિત થાય છે. તે કોશિકાઓ અને ડીએનએમાં થતા એ પરિવર્તનથી પણ બચાવે છે જે કેન્સર ઉત્પન્ન કરે છે.
હ્રદય રોગ
વિટામીન સીનો એક ઉત્કૃષ્ઠ લાભ એ છે કે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વ હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક છે અને હ્રદયની સમસ્યાઓથી બચાવવામાં અસરકારક છે. તે ધમનીઓને ક્ષતિગ્રસ્ત થતા બચાવે છે અને રક્ત કોશિકાઓમાં કોલેસ્ટ્રોલ જમા થતા રોકે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘટે છે. તે કોશિકાઓમાં લોહીના બહાવને સામાન્ય બનાવી રાખે છે.
અસ્થમા
વિટામીન સી શરીરમાં અસ્થમા માટે જવાબદાર હિસ્ટામાઇનના ઉત્પાદનને ઘટાડે છે. તેનાથી અસ્થમા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓની સંભાવનાઓ ઘટે છે. વિટામીન સીના એન્ટી ઓક્સિડન્ટ તત્વ તમારા ફેફસાની સફાઇમાં પણ મહત્ત્વની ભુમિકા ભજવે છે.
ઘા ભરવા
વિટામીન સીમાં એક જબરજસ્ત પાવર હોય છે. તે ત્વચાના ઘા જલ્દી ભરવામાં મદદગાર સાબિત થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી સ્થિતિમાં પણ વિટામીન સી સંક્રમણ ફેલાવવા અને બિમારીઓથી બચવામાં સહાયક સાબિત થાય છે. આજ કારણ છે કે ડોક્ટર્સ પણ શરીરના ઘાને ભરવા માટે વિટામીન સી સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપે છે.
એલર્જી
વિટામીન સી શરીરમા રહેલા એન્ટી હિસ્ટામાઇન તત્વ એલર્જીથી બચાવીને તેના લક્ષણોથી પણ મુક્ત કરે છે. સામાન્ય શરદીમાં પણ વિટામીન સીનો પ્રયોગ કરીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
તણાવ
વિટામીન સી તમારા દિમાગને તો સ્વસ્થ રાખે છે સાથે સાથે તે સ્ટ્રેસ ફાઇટિંગ એડ્રિનેલિનનો સ્ત્રાવ કરીને તમને તણાવમાંથી રાહત આપવાનું કામ પણ કરે છે.
સાંધાનો દુખાવો
સાંધામા કોલેજન અને કાર્ટિલેજ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે , ઉંમર વધવાના કે કોઇ ઇન્ફેક્શનના કારણે સાંધામા દુખાવાની સમસ્યા થાય છે. વિટામીન સી સાંધા માટે કોલેજન નામના પ્રોટીનનું નિર્માણ કરે છે જે દુખાવામાં રાહત આપે છે.