ભારતીય ભોજનની થાળીમાં સલાડના રુપમા બીટનો ઉપયોગ ઘણો પ્રચલિત છે. ઘેરા લાલ રંગનુ આ કંદ શરીરમાં લોહી વધારવા માટે ખાવામાં આવે છે. આયર્ન ઉપરાંત તેમાં અન્ય વિટામીન્સ પણ છે. તેના નિયમિત સેવનથી વિટામીન એ, બી, બી 1, બી 2, બી 6 અને વિટામીન સીની પુર્તિ સહજ બની જાય છે.
બહુ ઓછા લોકો જાણે છે કે બીટમાં લોહ તત્વની માત્રા વધુ હોતી નથી, પરંતુ તેમાથી મળતુ લોહતત્વ ઉચ્ચ ગુણવત્તાનું હોય છે. તે લોહીના નિર્માણમાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. આજ કારણ છે કે બીટના સેવનથી શરીરમાંથી અનેક હાનિકારક પદાર્થો શરીરની બહાર નીકળે છે. બીટ અંગે એક મહત્ત્વની વાત એ પણ છે કે તેના કંદ ઉપરાંત તેના લીલા પાંદડાનુ સેવન પણ અત્યંત લાભદાયી છે.
આ પાંદડાઓમાં કંદની તુલનામાં ત્રણ ગણુ વધુ લોહતત્વ હોય છે. તેના પાંદડામાં વિટામીન એ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. કંદ અને તેના પાંદડા રક્ત નિર્માણ માટે અને હાનિકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢવા ક્લિન્ઝરનું કામ કરે છે.
બીટમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગેનીઝ અને રેશાની પર્યાપ્ત માત્રા હોય છે. તેમાં પાચન યોગ્ય શર્કરા હોવાના કારણે તેનુ સેવન ઉર્જા પણ આપે છે. એવુ કહેવાય છે કે બીટનો લાલ ઘેરો રંગ તેમા લોહતત્વની પ્રચુરતાના કારણે હોય છે, પરંતુ તે લાલ રંગ તેમાં મળી આવતા બીટા સાયનિનના કારણે હોય છે.
એન્ટી ઓક્સિડન્ટ ગુણોના કારણે આ રંગો સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. તેમાં ફોલિક એસિડ, પોટેશિયમ અને મુલાયમ રેશા પણ તેના પૌષ્ટિક ગુણોને વધારે છે. બીટનું નિયમિત સેવન શરીરને સંપુર્ણ નીરોગી રાખવાનુ કામ કરે છે. આપણા દૈનિક આહારમા બીટને હજુ ઉચિત સ્થાન પ્રાપ્ત થયુ નથી, તેને નિયમિત ખાવાથી ઘણા રોગોમાં લાભ થાય છે. તે સુંદરતા પણ પ્રદાન કરે છે. તેનાથી હિમોગ્લોબીન પણ વધે છે. તેના ફળ સ્વરુપે ચહેરાની રોનક વધે છે.
બીપી સામાન્ય અને પાચન યોગ્ય રહે છે
બીટમાં રહેલુ નાઇટ્રેટ તત્વ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. હ્રદય રોગો અને હાર્ટ એટેકથી બચાવવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા એન્ટી ઓક્સિડન્ટ તત્વ હ્રદય રોગ સાથે જોડાયેલા સંક્રમણથી બચાવે છે. શરીરના પોષણ માટે પાચનતંત્રનુ મજબુત હોવુ પણ ખુબ જરુરી છે. બીટમાં રહેલા ખાસ એમિનો એસિડ પાચનક્રિયા સાથે જોડાયેલી સમસ્યાને દુર કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.