હાલમાં જ કેટલીક જગ્યાએ નકલી સેનિટાઈઝર બનાવનારી કંપનીઓનો ભાંડો ફૂટ્યો છે. આ કંપનીઓ બ્રાન્ડેડ કંપનીઓ જેવા જ નકલી સેનિટાઈઝર બનાવી રહી હતી. લોકોને હવે એ જાણવામાં પરેશાની થઈ રહી છે કે, સેનિટાઈઝર અસલી છે કે નકલી. તો ચાલો આજે તમને જણાવી દઈએ.
ઘણી કંપનીઓ નકલી સેનિટાઈઝર વેચે છે
સેનિટાઈઝર અસલી છે કે નહીં આ રીતે ચેક કરો
નકલી સેનિટાઈઝરથી સંક્રમણનો ખતરો વધે છે
સરકારની સૂચના મુજબ કોરોનાથી બચવા માટે 70થી 80 ટકા આલ્કોહોલવાળા સેનિટાઈઝરનો જ ઉપયોગ કરવો, પરંતુ કઈ રીતે ચેક કરવું કે સેનિટાઈઝર અસલી છે. તે જાણવા માટે તમે ઘરમાં રહેલાં લોટથી ચેક કરી શકો છો. તેના માટે એક વાટકીમાં એક ચમચી લોટ લઈને તેના પર સેનિટાઈઝર નાખો. પછી લોટ બાંધવાની કોશિશ કરો.
જો તેનાથી લોટ બંધાઈ જાય તો સમજો કે, સેનિટાઈઝર નકલી છે. કારણ કે, અસલી સેનિટાઈઝરથી લોટ બંધાશે નહીં અને લોટ છૂટો પડેલો રહેશે. જ્યારે નકલીથી લોટ બંધાઈ જશે.
આજકાલ બધાના ઘરે ટોયલેટ અને ટિશ્યૂ પેપર હોય છે. હાથ, વાસણ અથવા સફાઈ માટે તેનો ઉપયોગ થાય છે. તો એક ટિશ્યૂ પેપર લઈને વચ્ચે પેનથી એક નાનું કાણું કરી દો. હવે તેની પર સેનિટાઈઝરનું એક ટીપું નાખી દો. જો સ્યાહીથી બનેલું કાણું ફેલાઈ જાય છે તો સેનિટાઈઝર નકલી છે અને જો કાણું એવું જ રહે છે અને થોડીવારમાં તે સૂકાઈ જાય તો સમજો કે સેનિટાઈઝર અસલી છે.
હજી એક સરળ રીત છે. એક વાટકીમાં થોડું સેનિટાઈઝર કાઢીને તેના પર હેર ડ્રાયરથી હવા મારો. જો સેનિટાઈઝ 5થી 7 સેકન્ડમાં સૂકાઈ જાય તેનો મતલબ છે કે તે અસલી છે અને જો સૂકાવામાં મોડું થાય તો સમજો કે તે નકલી છે.