ઋતુ બદલતાની સાથે જ લોકોને વાયરલ ફીવર થઇ જાય છે જેની સારવાર માટે માર્કેટમાં તો ઘણી એન્ટીબાયોટિક્સ મળી જાય છે પરંતુ તેના સાઇડ ઇફેક્ટ થવાની સાથે સાથે મોઢાનો સ્વાદ પણ બગાડી દે છે. જો આવામાં ઘરેલૂ નુસ્ખાની મદદથી રાહત મેળવી શકાય છે જાણો કેવી રીતે..
આદું:
વાયરલ ફીવરને ઠીક કરવા માટે સૌથી પહેલા આદુંની સાથે થોડું હળદર કાળા મરી અને ખાંડનો કાઢો બનાવી દો અને દિવસમાં 3-4 વખત આ કાઢો પીવાથી તાવ દૂર થાય છે.
ઘાણા:
એક ગ્લાસ પાણીમાં એક ચમચીમાં ઘાણા નાખીને ઉકાળો પછી તેને છાણીને તેમાં સ્વાદાનુસાર દૂધ અને ખાંડ નાખો આ પાણી પીવાથી ઝટથી તાવ દૂર થઇ જશે.
તુલસી:
એક મુઠ્ઠી તુલસીના પાન અને એક ચમચી લવિંગનો પાવડરને એક લિટર પાણીમાં ઉકાળીને રાખો આ પાણી દર 2 કલાકે પીવો.
મેથી:
રાતે 1 ચમચી મેથીના દાણાના પાણીમાં પલાળી લો સવારે આ મેથીના દાણામા લીબુંનો રસ અને મધ નાખીને ખાઓ તાવ ઠીક થઇ જશે.
ચોખા:
એક ભાગ ચોખા અને અડધો ભાગ પાણી નાખીને બાફી લો જ્યારે ચોખા અડધા થઇ જાય ત્યારે તેણે પાણીથી અલગ કરી દો આ પાણીમાં સ્વાદાનુસાર મીઠું નાખીને પીવાથી વાયરલ ફીવર ઠીક થઇ જાય છે.
લસણ:
લસણને ફોલી લો અને તેણે મધ સાથે ખાવો તાવ તરત જ દૂર થશે.