મંગળવાર હનુમાનજીનો દિવસ કહેવાય છે. આ ઉપાય પ્રત્યેક મંગળવારે કરવો જોઇએ. હનુમાનજીની કૃપાથી તમને નિરંતર પ્રગતિ મળે છે. આ ઉપાયોથી પ્રત્યેક દોશનું નિવારણ થાય છે.
સંકટોથી મુક્તિ મેળવવા માટે મંગળવારનો દિવસ એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસ સંકટમોચન હનુમાનજીનો દિવસ હોય છે. હનુમાનજીના ભક્ત વિવિધ નામોથી એમની પૂજા કરે છે. જેનાથી નિશ્વિત રૂપથી લાભ મળે છે અને દરેક સંકટ નષ્ટ થાય છે.
દરેક મંગળવારે હનુમાનજીને ગોળનો ભોગ ચઢાવીને લાલ રંગની ગાયને ખવડાવું ખૂબ શુભ હોય છે. એનાથી જીવનમાં સતત પ્રગતિ મળે છે.
મંગળવારે સાંજના સમયે હનુમાન મંદિરમાં જઇને હનુમાનની પ્રતિમા સમક્ષ ચમેલીના તેલનો દીવો પ્રગટાવો એનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
ઘરના કામ માટે નિકળતી વખતે ખિસ્સામાં લાલ રંગનો નાનો રૂમાલ અથવા લાલ રંગનું કોઇ કપડું રાખીને નિકળો તમારો દિવસ શુભ રહેશે.
ગરીબ અને જરૂરતમંદ લોકોને દૂધનું દાન કરવું આ દિવસે ખૂબ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ ઉપાય તમામ સમસ્યાઓનું સમાધાન કરે છે.
હનુમાનજીને લાલ રંગનું સિંદૂર અને ચોળા ચઢાવવા ખૂબ સારું માનવામાં આવે છે. આ ઉપાય તમારી આવાનરી સમસ્યાઓને ખતમ કરી દે છે.
કહેવાય છે કે આ દિવસે ઘરમાં રોટી અને શાકને બળવા દેશો નહીં આવું થતાં જ આ અશુભ માનવામાં આવે છે
જો તમે આ દિવસે ખાવા પીવાની વસ્તુનું દાન કરો છો એને સ્વયં ખાતા બતો આવું કરવાથી તમને વધારે ફાયદો મળશે.