ભારતના 3 રાજ્યોમાં વહેલી સવારે 4.1, 3.0, અને 2.6નો ભૂકંપ આવતા લોકોમાં નાસભાગ મચી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભારતના 3 રાજ્યોમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ
4.1, 3.0, અને 2.6નો ભૂકંપ આવ્યો હોવાની પુષ્ટિ
લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારતના 3 રાજ્યોમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપી તીવ્રતા 4.1, 3.0, અને 2.6 હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના આંચકા ક્રમશઃ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની ખાતરી કરી છે.
Earthquakes of magnitude 4.1, 3.0, and 2.6 on the Richter Scale hit Sonitpur (Assam), Chandel (Manipur), West Khasi Hills (Meghalaya) respectively today: National Center for Seismology pic.twitter.com/DM9rNmMmWB
જાણો ક્યા અને કયા સમયે આવ્યો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપના આંચકાના કારણે મળતી માહિતી અનુસાર વહેલી સવારે પણ લોકો ડરના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા.