સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ચુડા અને સાયલા તાલુકામાં દિવસ દરમિયાન 3 ભુકંપના આંચકા આવ્યા હતાં. ચુડા અને સાયલાના જુની મોરવાડ નજીક ભૂકંપનું એપી સેન્ટર નોધાયું છે.
સામાન્ય ધ્રુજારી અનુભવતા લોકોમાં ફફડાટ થયો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા 1.9 અને 1.8 નોંધાઇ હતી. નાના-નાના આંચકાઓ અનુભવાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.
વારંવાર અનુભવાઇ રહ્યા છે આંચકા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયગાળાથી ભૂકંપના આંચકા રાજ્યના વિવિધ પ્રદેશોમાં અનુભવાઇ રહ્યા છે. કચ્છમાં આ ઘટના છાશવારે બનતી થઇ છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન સુરેન્દ્રનગરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
2001માં ભૂકંપના લીધો થયું હતું મોટું નુકસાન
આપને જણાવી દઇએ કે કચ્છ અને ધરતીકંપને જૂનો નાતો છે.આ પહેલા અનેકવાર ધરતીકંપે કચ્છની ધરતીને ધ્રુજાવી છે.આ પહેલા 2001માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી. તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી.