પૂર્વોત્તર રાજ્યમાં મોડી રાતે ધરતી ધણધણી હતી. મણિપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.8 માપવામાં આવી હતી.
મણિપુરમાં મોડી રાતે ભૂકંપના ઝટકા આવ્યા
રિક્ટર સ્કેલ પર 4.8ની તિવ્રતા માપવામાં આવી
ભૂકંપના તેજ ઝટકા છતાં જાનમાલનું કોઈ નુકસાન નહીં
પૂર્વોત્તર રાજ્યમાં મોડી રાતે ધરતી ધણધણી હતી. મણિપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.8 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપના ઝટકા મણિપુરના મોઈરાંગ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ ભાગમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 94 કિમી ઊંડુ માપવામાં આવ્યું છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર રાજધાનીથી 66 કિમી દૂર હોવાનું કહેવાય છે.
An earthquake of magnitude 4.8 occurred at around 11:42 pm, in the East-Southeast of Moirang, Manipur: National Center for Seismology pic.twitter.com/tzWEPsmItL
શનિવાર રાતે મોઈરાંગમાં બધું સામાન્ય હતું, ત્યારે અચાનક ધરતી ધણધણવા લાગી હતી. લોકોને જ્યારે ધરતી કંપન અનુભવ્યો હતો, તો ઘરોમાંથી ભાગવા લાગ્યા હતા. ભૂકંપના ઝટકા રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. સારી વાત એ છે કે, આ ભૂકંપમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
આ અગાઉ 5 જૂલાઈના રોજ આસામમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.7 માપવામાં આવી હતી. તેની ડેપ્થ 35 કિમીની હતી. જ્યારે હાલમાં અરુણાચલ પ્રદેશમાં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.