લેહના અલ્ચીમાં સોમવારે સવારે 9.16 વાગે ભૂકંપનો ઝટકો અનુભવાયો છે.
ઝટકો રિક્ટર સ્તર પર 4.2 તીવ્રતાની સાથે આવ્યો
લેહના અલ્ચીમાં આજે સવારે 9.16 વાગે ભૂકંપનો ઝટકો
આ પહેલા અહીં 25 માર્ચે પણ ભૂકંપ આવ્યો હતો
ઝટકો રિક્ટર સ્તર પર 4.2 તીવ્રતાની સાથે આવ્યો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યુ આ ઝટકો રિક્ટર સ્તર પર 4.2 તીવ્રતાની સાથે આવ્યો હતો. જો કે હજું સુધી જાનમાલના નુકસાનના સમાચાર આવ્યા છે. ત્યારે NCA મુજબ ભૂકંપનું કેન્દ્ર અલચીથી 89 કિલોમીટર દક્ષિમપશ્ચિમ(એસડબ્લ્યૂ)માં અનુભવાયો. ભૂકંપ સપાટીથી 5 કિલોમીટરની ઉંડાઈથી આવ્યો.
આ પહેલા અહીં 25 માર્ચે પણ ભૂકંપ આવ્યો હતો
ધ્યાન રહે કે લેહમાં ગત કેટલાક મહિનાઓ સતત ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા અહીં 25 માર્ચે પણ ભૂકંપ આવ્યો હતો. ત્યારે આની તીવ્રતા 3.5 હતી. માર્ચની પહેલા ગત 27 સપ્ટેમ્બર અને ફરી 6 ઓક્ટોબરે કંપન અનુભવાયું હતુ. સપ્ટેમ્બરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 અને ઓક્ટોબરમાં 5.1 હતા.
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીના અનેક લેયર હોય છે અને જમીનની નીચે અનેક પ્રકારની પ્લેટ હોય છે. આ પ્લેટ્સ એકબીજા સાથે ફસાયેલી હતી. પરંતુ ક્યારેક ક્યારેક આ પ્લેટ ખસી જાય છે. આ કારણે ભૂકંપ આવે છે. અનેક વાર આનાથી કંપન થઈ જાય છે અને આની તીવ્રતા વધી જાય છે. ભારતમાં ધરતીની અંદરની પરતો હોવાના કારણે ભૌગોલિક હલચલના આધાર પર કેટલાક જોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ આ વધારે છે અને કેટલીક જગ્યાએ ઓછી. આ શક્યતાઓના આધાર પર ભારતના 5 જોનમાં વહેચાયેલા છે. જે જણાવે છે કે ભારતમાં કહ્યું સૌથી વધારે ભૂકંપ આવવાનું સંકટ રહે છે. ઝોન 5માં સૌથી વધારે ભૂકંપ આવવાની શક્યતા રહે છે અને 4માં તેનાથી ઓછા, 3માં તેમાંથી ઓછી છે.