દિલ્હી-એનસીઆર(Delhi-NCR) સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં મંગળવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતીકંપનું કેન્દ્ર બિંદુ લાહોરથી 173 કિમી દૂર હતું. તે જ સમયે, તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં આંચકા અનુભવાયા હતા.
આ તરફ પાકિસ્તાનના ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી તથા લાહોર સહિત કેટલાક શહેરોમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપને પગલે POK માં ભૂકંપને પગલે ખૂબ જ નુકસાન થયું હતું. તો પાકિસ્તાનમાં કેટલાક સ્થળો પર રસ્તાઓ વચ્ચે મોટી તિરાડો પણ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપના આ આંચકા મંગળવારે સાંજે 4.30 કલાકે અનુભવાયા હતા. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ 6.3 માપવામાં આવી છે. અચાનક આવેલ આંચકાને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકાને પગલે 19 લોકોના મોત નિપજ્યા છે તથા 300 થી વઘારે લોકો ઘાયલ થયા છે.
નોંધનીય છે કે, પંજાબ સહિત ચંદીગઢ અને હરિયાણામાં પણ ભૂંકપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો આ તરફ POK માં રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઇ હતી તો કેટલાક સ્થળો પર રસ્તાના બે ભાગ થઇ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂંકપની અસર
નોંધનીય છે કે, પાકિસ્તાનની નજીક હોવાના કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપની અસર અનુભવાણી હતી. આ પહેલા 2005માં પણ જમ્મુ-કાશ્મીરમાં આવો જ તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેમાં કાશ્મીરમાં ઘણું જ નુકસાન થયું હતુ. તે સમયે 7.6નાં સ્કેલનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણા લોકોનાં મોત થયા હતા.
Earthquake of Magnitude:6.3, Occurred on:24-09-2019, 16:31:58 IST, Lat:32.9 N & Long: 73.7 E, Depth: 40 Km, Region: Pakistan - India (J & K ) Border region pic.twitter.com/tH6RDjGuxD
શું હોય છે રિક્ટર સ્કેલ ? કેવી રીતે માપવામાં આવે છે ભૂકંપની તિવ્રતા
ભૂકંપને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતાને નક્કી કરવામાં આવે છે. આવો જાણીએ રિક્ટર સ્કલે પર કઇ પ્રકારના ભૂકંપ ખતરનાક હોય છે.
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે. 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.