આંદામાનમાં આજે સવારે 1.44 વાગે ભુકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે.
આંદામાનમાં આજે સવારે ભુકંપના ઝટકા
રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી
અનેક વિસ્તારો સંવેદનશીલ
આંદામાન દ્વીપ વિસ્તારમાં આજે સવારે 1.44 વાગે ભુકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા 4.2 માપી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Center for Seismology)ના ભૂકંપની જાણકારી આપી છે.
An earthquake of magnitude 4.2 on the Richter scale hit Andaman Islands Region at 1.44 am today: National Centre for Seismology pic.twitter.com/Sz6rn9PGXM
ત્યારે 7 જુલાઈએ આસામના ગોલપાડામાં બુધવારે સવારે 8.45 વાગે ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 5.3 જણાવવામાં આવી હતી. ત્યારે મેઘાલય અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા છે. મેઘાલયમાં બુધવારે સવારે લગભગ 8.45 વાગે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારે દાર્જીલિંગ અને કુચ બિહાર સહિત ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં આંચકો અનુભવાયો હતો.
ભૂકંપને લઈને સરકાર અને સામાન્ય લોકોના સ્તર પર તૈયારી જરુરી
જમ્મુ સંભાગના રામબન, ડોડા, ભદ્રવાહ, કિશ્તવાડ, પાડર, પુંછ, રાજોરી અને કઠુઆ જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપ માટે વધારે સંવેદશનશીલ છે. આ ઉપરાંત કાશ્મીર સંભાગના તમામ જિલ્લા સંવેદનશીલ જોનમાં આવે છે. જે વિસ્તારમાં પહેલા ભૂકંપ આવી ચૂક્યા છે. ત્યાં ભૂકંપની આશંકા વધારે રહી છે. તેવામાં ભૂકંપને લઈને સરકાર અને સામાન્ય લોકોના સ્તર પર તૈયારી જરુરી છે.