બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake struck again in Amreli overnight, measuring 3.3 on the Richter scale.
Priyakant
Last Updated: 08:11 AM, 27 February 2023
છેલ્લા ઘણાં સમયથી અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે રાત્રિના 1.42 મિનિટે ફરી ધરતીકંપનો આંચકો આવતા વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. મહત્વનું છે કે, રાત્રે આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ છે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
અમરેલીના મીતીયાળામાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. મધરાત્રે 1.42 વાગ્યે આવેલા ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે, અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ સતત વધી રહ્યા છે. જોકે રાત્રિના સમયે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં આવેલા ભૂકંપની રિક્ટેર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ છે. આ સાથે મીતીયાળા અને સાકરપરાની વચ્ચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
અનેક ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમરેલીના મીતીયાળામાં મધરાત્રે આવેલા ભૂકંપની અસર આસપાસના ગામોમાં થઈ હતી. વિગતો મુજબ પંથકના મીતીયાળા, સાકરપરા, ધજડી, ખાંભાના ભાડ, વાંકીયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રિના 1.42 મિનિટે ધરતીકંપનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.
અમરેલી : સાવરકુંડલાના મીતીયાળામાં ફરીવાર આવ્યો ભૂકંપનો આંચકો, રાત્રિના 1:42 મિનિટે 3.3ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી મીતીયાળાની ધરા#amreli #vtvgujarati #earthquake pic.twitter.com/haKbr9hSlt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 27, 2023
2 દિવસ અગાઉ પણ મીતીયાળામાં આવ્યો હતો ભૂકંપ
છેલ્લા ઘણાં સમયથી અમરેલીનાં ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે 23 ફેબ્રુઆરીએ અમરેલીની ધરતી ધણધણી ઉઠી હતી. 23 ફેબ્રુઆરીએ સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે અમરેલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું.
ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટના કારણે વધ્યા ભૂકંપના આંચકા
કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈનમાં મુખ્ય ટ્રાઇનગેલના લીધે ભૂકંપ આવે છે. ટ્રાઇએંગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇનમાં ડિસ્ટર્બનથી ભૂકંપો વધ્યા છે તેવું પણ એક અનુમાન સામે આવ્યું છે.
તિરોડોથી બની છે નવી-નવી ફોલ્ટ લાઈન
ફોલ્ટ લાઇનને અનુરુપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. તિરાડો પડતા જ નવી-નવી ફોલ્ટ લાઇનો જમીનમાં બની છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઇન કચ્છની અને બીજી તાપ્તી ફોલ્ટ લાઇન ખંબાત અખાત, ભરુચ, રાજપીપલા, ડાંગને ઇફેક્ટ કરે છે. તો એક ફોલ્ટ લાઇન ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ઇફેક્ટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુખ્ય ફોલ્ટ લાઇનમાં 100 ગણી એક્ટિવિટી વધી છે. અગાઉ આવા ભૂકંપો 10 વર્ષે આવતા હતા. જ્યારે હવે ઇન્ડો-ઓસ્ટ્રેલીયા-જાપાનમાં વારંવાર આવે છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners