ઉત્તરાખંડમાં આજે રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ભૂંકપના આંચકા અનુભવાયા છે. ઉત્તરકાશી જિલ્લામાં તેની તિવ્રતા 3.1 આંકવામાં આવી છે. જો કે આ ભૂંકપને લઇને કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જોકે ભૂકંપના આંચકાના સમયે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. ઉત્તરકાશીના આપત્તિ વ્યવસ્થા અધિકારીએ જણાવ્યું કે ભૂકંપના આંચકા હળવા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશી ભૂકંપને લઇને સંવેદનશીલ રહ્યું છે.
આ ભૂકંપના આંચકા ઉત્તરકાશીની આસપાસના વિસ્તારમાં અનુભવયાં છે. ઉલ્લેખનીય છે કે 25 એપ્રિલના રોજ પિથૌરાગઢ જિલ્લાના ધારચૂલામાં હલકા તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 11.29 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે આ મત્રા એક-બે સેકન્ડ માટે જ હતા.
21 એપ્રિલના રોજ બાગેશ્વરમાં રાત્રે 8.42 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પિથૌરાગઢ જિલ્લામાં હતું જેની તીવ્રતા 3.5 આંકવામાં આવી હતી.