દેશમાં આજે વહેલી સવારમાં જ અરૂણાચલ પ્રદેશમા ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી.
અરુણાચલ પ્રદેશમાં સવાર-સવારમાં અનુભવાયા ભૂકંપના આંચકા
પાંગિનથી 1176 કિમી ઉત્તરે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
શું તમને ખબર છે કે ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં અનુસાર, અરુણાચલ પ્રદેશના પાંગિનથી 1176 કિમી ઉત્તરે આજે વહેલી સવારના 6:56 વાગ્યે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવાર-સવારમાં 6.56 કલાકે ભૂકંપના આંચકા આવતા એકાએક ધરતી ધ્રૂજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.
An earthquake of magnitude 5.3 occurred at around 6:56am, 1176km North of Pangin, Arunachal Pradesh today: National Center for Seismology
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પાંગિનમાં નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા કેટલાંક લોકો તેમના સંબંધીઓની હાલત જાણવા ફોન કરતા જોવા મળ્યા હતાં.
તાજેતરમાં લદ્દાખમાં પણ ભૂકંપ આવ્યો હતો
તાજેતરમાં જ લદ્દાખમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે 10.24 કલાકે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા કારગીલથી 328 કિમી ઉત્તરમાં અનુભવાયા હતા.
જાણો ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે. 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.