જમ્મુ કાશ્મીરમાં સોમવારે સાંજે 5.1 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસમોલોજી અનુસાર સોમવારે સાંજે 7.32 વાગ્યે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર કટરાથી ઉત્તર-પૂર્વમાં 63 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું હતું. આ સિવાય ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું જાન-માલની હાની થયાના કોઇ જ સમાચારો પ્રાપ્ત થયાં નથી.
બીજી તરફ, જિલ્લા વિકાસ કમિશનર ડોડાએ તમામ તહેસિલદારો અને એસ.એચ.ઓ.ને આદેશ આપ્યો છે કે સંબંધિત વિસ્તારોમાં થયેલા નુકસાન અંગે તાત્કાલિક માહિતિ આપી શકાય. આ સાથે તેમણે લોકોથી પરેશાન ન થવાની અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની સૂચના પણ આપી છે.
થોડા દિવસ પહેલા પણ અનુભવાયો હતો આંચકો
આપને જણાવી દઇએ કે, આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, આ પહેલા 4 જાન્યુઆરીએ બંદીપોરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.તો ગયા વર્ષે ડિસેમ્બરમાં ભૂકંપના આંચકા 4 વખત અનુભવાયા હતા.
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?