હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકા આવ્યા હતા, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 મપાઈ હતી, આ આંચકાનું એપિસેન્ટર બિલાસપુર નજીક બતાવાઈ રહ્યું છે.
હિમાચલ પ્રદેશમાં લાગ્યા ભૂકંપના આંચકા
બિલાસપુર નજીક એપિસેન્ટર હોવાની સંભાવના
જાનમાલના કોઈ પણ નુકસાનની માહિતી નથી
હજુ થોડા દિવસ પહેલા જ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકમ્પનો આંચકો લાગ્યો હતો, અને આજે હવે વધુ એકવાર હિમાચલ પ્રદેશમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું એપિસેન્ટર બિલાસપુર નજીક બતાવાઈ રહ્યું છે, જો કે સારી વાત એ છે કે આ આંચકામાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાન કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી.
પહેલા પંજાબમાં એપીસેન્ટર હોવાની જાણકારી સામે આવી હતી
ધરતીકમ્પના લીધે ઘણી જગ્યાઓ પર નુકસાનની પણ જાણકારી સામે આવી હતી, પહેલા આ આંચકાને લઈને એવી માહિતી સામે આવી હતી કે આનું એપિસેન્ટર પંજાબનું અમૃતસર છે જો કે હવામાન વિભાગે આ જાણકારીને નકારી દીધી હતી.
આ દરમિયાન હિમાચલનાઓ ચમ્બા, ડેલહાઉસી અને અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા જાણવામાં આવ્યા હતા, ઉનામાં પણ આ આંચકાની અસર અનુભવાઈ હતી, પરંતુ જાનમાલના કોઈ પણ નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી.
5 જાન્યુઆરીના રોજ ચમ્બામાં આવ્યા હતા આંચકા
આની પહેલા 5 જાન્યુઆરીના રોજ હિમાચલના ચમ્બામાં ભૂકંપના આંચકા લાગ્યા હતા, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતાનુસાર બપોરે 1.09ના સમયની આસપાસ આ ભૂકમ્પ અનુભવાયો નથી, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.
કેવી રીતના આંચકા વધુ ખતરનાક હોય છે?
એક સામાન્ય માહિતી અનુસાર 0 થી લઈને 4.9 રિક્ટર સ્કેલ સુધીના આંચકાઓમાં બારી બારણામાં કમ્પન થઇ શકે છે અને કદાચ તૂટી શકે છે, પણ વધુ નુકસાનની આશંકા ઓછી રહે છે, પરંતુ જેમ જેમ આ તીવ્રતા વધતી જાય છે તેમ તેમ નુકસાનની આશંકા વધતી જાય છે, 5 થી 8.9 સુધીની તીવ્રતામાં મકાનના પાયાથી લઈને મોટી ઇમારતો અને જમીનની અંદરના પાઇપ અને પુલ જેવા મોટા બાંધકામને પણ નુકસાનની શક્યતા રહે છે.પરંતુ જો આ સ્કેલ 9થી વધુ છે તો ભયાનકતા વધુ હોઈ શકે છે, 9થી વધુના સ્કેલમાં જો કોઈ મેદાનમાં ઉભું છે તો તેને જમીન લહેરાતી જણાશે, અને સમુદ્રની નજીક સુનામી આવી શકે છે. મહત્વનું છે કે દરેક સ્કેલ તેના અગાઉના સ્કેલ કરતા 10 ગણું વધુ શક્તિશાળી હોય છે.