દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂચમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
દક્ષિણ અને મધ્યગુજરાતમાં ભૂકંપના આંચકા
કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું છે
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ
દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું છે. બપોરે 3.40 કલાકે હળવો ભૂકંપ અનુભવાયો છે. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી છે. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.
કેમ આવે છે ભૂકંપ?
2001ના ભૂકંપના દબાણ બાદ મોટી ફોલ્ટલાઇન એક્ટિવ થઇ
કચ્છની મોટાભાગની ફોલ્ટલાઇન એક્ટિવ થઇ છે
ફોલ્ટલાઇન એક્ટિવ થતાં સમયે સમયે ભૂકંપ આવતો રહે છે
2001 બાદ 5 થી 6ની તીવ્રતાના 25 ભૂકંપના આંચકા અનુભવાયા
25માંથી છેલ્લે 2012માં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
2012થી અત્યાર આઠ વર્ષ બાદ ફરી મોટો ભૂકંપ
કચ્છમાં દર 6 વર્ષના પિરિયડમાં એક્ટીવિટી વધે છે
2006માં 5ની તીવ્રતાના બે ભૂકંપ અનુભવાયા
2012માં 5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
અંદાજ મુજબ 2018-19માં આ ભૂકંપ આવવો જોઇતો હતો
પરંતુ આ એક્ટીવિટી 2020માં જોવા મળી છે
કચ્છના ભચાઉ, રાપરમાં સૌથી વધુ એક્ટીવિટી દેખાઇ રહી છે
કચ્છનો આ સમગ્ર વિસ્તાર ઝોન-5માં આવે છે
ઝોન-5માં 4 અને 5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય
ઝોન-2માં ભૂકંપ આવવાનો સૌથી ઓછો ખતરો
ઝોન-5માં ભૂકંપ આવવાનો સૌથી વધુ ખતરો
ઝોન-5માં ભારતના માત્ર બે જ વિસ્તારનો સમાવેશ
સમગ્ર હિમાલય બેલ્ટ અને કચ્છનો ઝોન-5માં સમાવેશ
ઝોન-5માં 8ની તીવ્રતા સુધીનો આંચકો અનુભવાય છે
સૌરાષ્ટ્ર અને નર્મદાના સમગ્ર વિસ્તારનો ઝોન-3માં સમાવેશ
કડાણા અને અરવલ્લીનો ઝોન-2માં સમાવેશ
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
Videoમાં સમજો, ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?