નેપાળ સહિત ઉત્તર પ્રદેશના કેટલાંક વિસ્તારમાં આજરોજ સવારે ભૂકંપના આંચકા અનુભવયાં છે. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.2 નોંધાઇ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળના ધાદિંગ જિલ્લાના નોબતમાં જોવા મળ્યું. જો કે હજુ સુધી ભુકંપના કારણે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
એક મળતાં અહેવાલ મુજબ બુધવારે સવારે 6 વાગ્યાને 29 મિનીટ પર નેપાળ માં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો કે ભારતના ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી છે. જેની તીવ્રતા 5.2 હતી. જો કે ત્યારબાદ 6 વાગ્યાના 40 મિનીટ પર બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર 4.8 હતી. જો કે આ ભૂકંપના આંચકાના કારણે કોઇ નુકસાનના હજી સુધી કોઇ રિપોર્ટ સામે આવ્યાં નથી.
જો કે ગતરાત્રીએ 1 વાગ્યાના 45 મિનીટ પર અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.8 હતી અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ અરૂણાચલ પ્રદેશના પશ્ચિમમાં સિયાંગ હતું. જો કે ત્યાં પણ કોઇ નુકસાનના અહેવાલ મળ્યાં નથી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 25 એપ્રિલ 2015માં નેપાળમાં આવેલા 7.8ની તિવ્રતાના ભૂકંપ આંચકો આવ્યો હતો જેનું કેન્દ્ર લામજુંગ હતું. આ ભૂકંપના કારણે નેપાળના 32 જિલ્લામાં ભારે તારાજી થઇ હતી. જેમાં અંદાજે 9 હજાર લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 20 હજારથી વદુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપના આંચકા ચીન, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સુધી અનુભવયાં હતા.