જામનગરમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે. ભૂંકપને લઇને બહુમાળી ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. લોકો ઘર બહાર નીકળ્યા ગયા. ભયનો માહોલ સર્જાયો છે. 3થી 4 સેકન્ડ આંચકો અનુભવાયો છે. મહત્વનું છે કે, જામનગર જિલ્લા છેલ્લા 15 દિવસથી આંચકાઓ અનુભવાય રહ્યા છે.
છેલ્લા 15 દિવસથી સતત જામનગરના કેટલાક ગામોમાં આવે છે ભૂકંપ
જામનગર-કાલાવાડમાં 3.7ની તીવ્રતાના ભૂકંપનો આંચકો
જામનગરમાં છેલ્લા થોડા સમયથી ભૂંકપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. થોડા દિવસ અગાઉ ઉપરાઉપરી 3.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ત્યારે સોમવારે સાંજે ફરી 3.7ની તીવ્રતાના આંચકા આવતા દોડધામ મચી ગઇ હતી. આ આંચકો અંદાજિત 3થી 4 સેકેન્ડ સુધી આવ્યો હતો. જામનગર આસપાસનું ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે. કાલાવડ અને લાલપૂરમાં પણ અનુભવાયો આંચકો છે.
છેલ્લા 10થી 15 દિવસથી અને રાત્રીના સમયે પણ ભૂકંપના આંચકા આવતા હોવાના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ભૂકંપના આંચકાના કારણે કાચા મકાનોને ભારે નુકસાની થઇ રહી છે. તો પાકા મકાનોમાં પણ તિરાડો પડતી હોવાની વ્યાપક રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.