ઉત્તરાખંડમાં ભૂકંપના આંચાકાનો અનુભવ કરવામાં આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૌડી ગઢવાલ પાસેનું જણાવવામાં આવી રહ્યું છે.
રાજધાની દિલ્લીથી 212 કિલોમીટર દૂર ઉત્તરાખંડનાં પૌડી ગઢવાલમાં શનિવાર સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા હાલ કોઈ ઘટના સામે આવી નથી.
શનિવારે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપનાં આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. ત્યારે સવારે 9.38 મિનિટ પર આવેલા ભૂકંપના આંચકાની રિક્ટરસ્કેલ પર તીવ્રતા 3 નોંધાવા પામી હતી. ત્યારે નાસિકમાં આવેલ ભૂકંપમાં પણ કોઈ નુકશાનની જાણકારી મળવા પામી નથી.
તાજેતરમાં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો
બે દિવસ પહેલા ભારતના પાડોશી દેશ નેપાળમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળના ભૂકંપનું કેન્દ્ર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની લખનૌથી 266 કિમી દૂર હતું, પરંતુ તેના આંચકા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સુધી અનુભવાયા હતા.
ભૂકંપ શા માટે થાય છે?
ધરતીકંપ પૃથ્વીની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે થાય છે. ટેક્ટોનિક પ્લેટ્સ હંમેશા પૃથ્વીની સપાટીની નીચે ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ કેટલીકવાર તેની આગળનો ભાગ જમીનના ભાગને અટકી જાય છે જેથી ઘર્ષણ સર્જાય છે. આ ઘર્ષણથી નીકળતી ઊર્જા તરંગોના રૂપમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને આપણે ધરતીકંપના આંચકા અનુભવીએ છીએ.