ગુજરાતનું નવુ વર્ષ જરાય સારૂ નથી. દરિયામાં સર્જાયેલા વાવાઝોડાં ક્યારે જતા જતા પણ ગુજરાતને ઘમરોળી મુક્યુ છે ત્યાં બીજા વાવાઝોડાં 'મહા'નું સંકટ હજુ તોળાઇ રહ્યું છે. ત્યારે આજે ભૂકંપના આચંકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરમાં સવારથી અત્યાર સુધીમાં બે વાર ભુકંપના આચંકા આવી ચુક્યા છે.
કચ્છમાં ભૂકંપના હળવા આંચકા
જામનગરમાં ભૂકંપનો વધુ એક આંચકો
મહા વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી શકે છે
વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર એજન્સીના અહેવાલ મુજબ આજે 2 નવેમ્બરના રોજ કચ્છમાં બપોરે 4.48 કલાકે 2.1નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એપી સેન્ટર ભચાઉથી 22 કિમિ દૂર નોંધાયું છે.
કચ્છમાં સવારે 11.12 કલાકે 2.6 નો ભુકંપનો આંચકો નોંધાયો છે. તેનું એપી સેન્ટર ભચાઉથી 23 કિમિ દૂર નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં જામનગરથી 28 કિમિ દૂર એપી સેન્ટર પરથી બપોરે 1.11 કલાકે 2.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આમ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે 3 ભુકંપના હળવા આંચકા આવ્યા છે ક્યાંય નુકશાન ના અહેવાલ નથી.
રાજ્યમાં 'મહા' વાવાઝોડાને લઈને રાહતના સમાચાર
રાજ્યમાં મહા વાવાઝોડાને લઈને રાહતના સમાચાર છે. મહા વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી શકે છે. મહા વાવાઝોડું ગુજરાતમાં ન આવે તેવી શક્યતા છે. મહા વાવાઝોડું દરિયામાં જ દિશા બદલે તેવી શક્યતા છે. હાલમાં મહા વાવાઝોડુ દિશા બદલી રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. લક્ષદ્વીપથી ઉદભવેલુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં તંત્ર એલર્ટ થયુ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે અને સામાન્ય વરસાદ આવે તેવી પણ શક્યતા છે.