મહારાષ્ટ્ર મુંબઈના ભૂકંપના આંચકાની અસર વલસાડ જિલ્લાના કપરાડા ના જંગલ વિસ્તારમાં જોવા મળી રહી છે. જમીનમાં બદલાવ અને હલચલ જોવા મળતા સ્થાનિક ગામલોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડના કપરાડાના જંગલ વિસ્તારમાં જમીનમાં પડી તિરાડ
કપરાડાના ગિરનાર ગામમાં જમીનમાં પડી તિરાડ
એક કિમી સુધી તિરાડ પડતા ગ્રામજનોમાં ભય
વલસાડના કપરાડાના જંગલ વિસ્તારમાં જમીનમાં તિરાડ પડતા લોકોમાં ભયનો માહોલ છે. કપરાડાના સુથારપાડા વિસ્તારના ગિરનાર ગામમાં એક કિલોમીટર સુધી જમીનમાં તિરાડ પડી છે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘર નજીર ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જેની અસર મહારાષ્ટ્ર નજીક આવેલા વિસ્તારના લોકોએ પણ કરી હતી. ત્યારે ગિરનાર ગામમાં એક કિલોમીટર સુધી જમીનમાં તિરાડ પડતા મામલતદારે પણ ઘટનાસ્થળની મુલાકાત લઇ તપાસ શરૂ કરી છે.
આજે પણ મુંબઈમાં ભૂકંપનો આચંકો અનુભવાયો છે. બે દિવસ અગાઉ મહારાષ્ટ્રની હદમાં પાલઘર નજીક ૪.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો .ત્યારે આ ભૂકંપનો આંચકો વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં પણ લોકોએ અનુભવ્યો હતો.
જોકે આ ભૂકંપ બાદ કપરાડાના સુથારપાડા વિસ્તારના ગિરનારા ગામે ગામના કેટલાક વિસ્તારમાં જમીન માં તિરાડ પડવાની ઘટના પણ બહાર આવી છે. જમીનમાં આ તિરાડ ના કારણે જમીનને મોટું નુકસાન થયું છે તો ખેતી ને પણ અસર થઈ છે. કપરાડાના જંગલ વિસ્તારમાં ખાસ કરીને ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે જમીન ધસી જવાની ઘટના અનેકવાર બનતી હોય છે. ડુંગર પરથી મોટા પથ્થર પણ રસ્તા પર આવી જતા હોય છે પરંતુ આ રીતે ગામમાં એક કિલોમીટર જેટલી જગ્યામાં તિરાડ પડવાની ઘટનાના પગલે ગામના સરપંચે તંત્રને જાણ કરી હતી. અને મામલતદાર ઘટનાસ્થળે મુલાકાત લઇ આ મામલે તપાસ શરૂ કરી હતી જોકે પ્રાથમિક તપ્યારે આ મામલે તંત્ર વધુ તપાસ કરે તે ખૂબ જરૂરી છે