મધ્યપ્રદેશના શહડોલ અને અનૂપપુરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.
મધ્યપ્રદેશના શહડોલ અને અનૂપપુરમાં ભૂકંપ
રિક્ટર સ્કેલ પર 3.9 નોંધાઈ તીવ્રતા
કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નહીં
લોકો ઘર બહાર દોડી આવ્યા
મધ્યપ્રદેશના શહડોલમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે આ આંચકાઓની તીવ્રતા ઓછી હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.9 નોંધાઈ. ભૂકંપના ઝટકા બાદ આસપાસના વિસ્તારમાંથી લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા.
An earthquake of magnitude 3.9 on the Richter scale hit Shahdol, Madhya Pradesh at 12:53 pm today: National Centre for Seismology
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અનુસાર મધ્યપ્રદેશના શહડોલમાં ભૂકંપના ઝટકા 12 વાગીને 53 મિનીટ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો કેન્દ્ર કયા હતો તેના વિશે હજુ સુધી જાણકારી મેળવી શકાઈ નથી. ભૂકંપના આંચકાના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના નુક્સાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા તથા સુરક્ષિત સ્થાન પર જતાં રહ્યા હતા.
અફરાતફરીનો માહોલ
નોંધનીય છે લોકડાઉનના કારણે શહેરવાસીઓ ઘરોમાં જ હતા અને અચાનક જ આંચકા આવતા અફરાતફરી મચી ગઈ હતી. મીડિયા અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે અનુપપૂરમાં વધારે અસર જોવા મળી રહી છે. જોકે કોઈ પણ નુકસાનના અહેવાલ નથી.