કચ્છમાં ફરી એકવખત ભૂકંપનો આંચકો આવતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ફરી ધ્રૂજી કચ્છની ધરા
કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ
ભચાઉથી 19 કિ.મી.દૂર કેન્દ્રબિંદુ
કચ્છમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આજે પણ ફરી એકવખત ધરતી કંપન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી, તો કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે, રવિવારે બપોરે 12.43 કલાકે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોના જીવ તાળવો ચોંટ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9ની નોંધવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું.
સ્થાનિકોના જીવ પડીકે બંધાયા
મધ્યાન સમયે આવેલ ભૂકંપનની તિવ્રતા એટલી હતી કે, તેની અસર ભચાઉ, રાપર, ગાંધીધામ અને ભૂજ સુધી જોવા મળી હતી. જેને લઈને સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા.
જાણો ક્યા અને કયા સમયે આવ્યો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?