નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હીમાં નવા વર્ષની શરૃઆત ભૂકંપ સાથે
પહેલી તારીખની વહેલી સવારે આંચકા આવ્યા
કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 3.8 હતી
નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા માપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 3.8 હતી. જોકે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાની કે માલહાનિ થઈ નથી.
વર્ષના પહેલા દિવસે ભૂકંપ આંચકો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, હરિયાણાના ઝજ્જરના ઉત્તર-પશ્ચિમમાં રવિવારે (01-01-2023) સવારે 1:19 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. કેન્દ્રમાંથી મળેલા રીડિંગ મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 હતી. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી.
Earthquake of Magnitude:3.8, Occurred on 01-01-2023, 01:19:42 IST, Lat: 28.71 & Long: 76.62, Depth: 5 Km ,Location: 12km NNW of Jhajjar, Haryana for more information Download the BhooKamp App https://t.co/QVSUrTSmuXpic.twitter.com/SAgjRl6hNo
— National Center for Seismology (@NCS_Earthquake) December 31, 2022
આ પહેલા 12 નવેમ્બરે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી, જે નેપાળમાં લગભગ 7:57 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
રોહતક-ઝજ્જર નીચે ફોલ્ટલાઈન
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ દેશમાં સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે. આ એજન્સીના જણાવ્યા અનુસાર, રોહતક-ઝજ્જરમાંથી પસાર થતી મહેન્દ્રગઢ-દહેરાદૂન ફોલ્ટ લાઇનની નજીક ઘણીવાર ભૂકંપ આવે છે, જેના પર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી સીધી નજર રાખે છે. આજે વહેલી સવારે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હરિયાણામાં જમીનથી માત્ર 5 કિલોમીટર નીચે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.