દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપની તીવ્રતા 5 ની માપવામાં આવી હતી. જો કે, કોઇ નુકસાન અંગે કોઇપણ પ્રકારના અહેવાલો પ્રાપ્ત થઇ શક્યા નથી. આ સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકો ગભરાઇની ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-નેપાળ બોર્ડર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત બાદ દિલ્હી-ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા
સ્થાનિકોમાં ફફડાટ
આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5 ની માપવામાં આવી
ગુજરાતમાં ભૂંકપના આંચકાઓનો સિલસિલો જામી પડ્યો છે ત્યારે આજરોજ ફરીવાર કચ્છમાં ભૂંકપનો તેજ આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 ની માપવામાં આવી હતી.
કચ્છમાં ભૂકંપના આંચકા
નોંધનીય છે કે, આ ભૂંકપનું એપી સેન્ટર પણ 2001માં આવેલા મહા ભયાનક ભૂકંપના એપીસેન્ટર વાળું જ હતું. ત્યારે સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. આ આંચકો બપોરે 1 વાગ્યેને 10 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ રાપરથી 24 કિમી દૂર 15.3 કિમીની ડેપ્થમાં કેન્દ્ર બિંદુ હતું.
ગઇકાલે પણ કચ્છમાં અનુભવાયો હતો મોટો આંચકો
આપને જણાવી દઇએ કે, છેલ્લા 2 દિવસથી કચ્છમાં ભૂંકપના આંચકાએ જોર પકડ્યું છે. સોમવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ અગાઉ રાજ્યમાં જામનગર, કચ્છ, નવસારી, તાપીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાયા તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
છેલ્લા 16 દિવસમાં જામનગરમાં 24 ભૂકંપના આંચકા
જામનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ભૂકંપના આંચકા યથાવત છે. છેલ્લા 16 દિવસમાં ભૂકંપના 24 આંચકા અનુભવાયા હતા. તો બે દિવસ અગાઉ જામનગરમાં દિવસ દરમિયાન ભૂકંપના 3 આંચકા આવ્યાં હતા. આ ભૂકંપની તિવ્રતા 3.2, 2.4, અને 2.4ની નોંધાઇ હતી. જામનગરના કાલાવડ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.