આસામમાં દિવાળીના દિવસે સવારે 10.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના તેજપુરથી 35 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે
આસામમાં દિવાળીના દિવસે ધરતી ધ્રૂજી
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી
ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યાં
Earthquake of magnitude 3.7 on the Richter scale occurred 35 km west-southwest of Tezpur, Assam at 1019 hours: National Center for Seismology
આસામમાં દિવાળી 2021ના દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલીજીના અનુસાર આ ભૂકંપ ગુરુવારે સવારે 10.19 વાગ્યે તેજપુરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં 35 કિમી દૂર વિસ્તારમાં આવ્યો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. જો કે, હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઘણી જગ્યાએ લોકો ઘરની બહાર આવી ગયાં હતાં.
આ પહેલા 31મી ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ પહેલા 31મી ઓક્ટોબરે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સિરોંચા તાલુકામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે જાનમાલના કોઈ નુક્સાન થયું નથી. આ ભૂકંપ રવિવારે સાંજે 6.48 કલાકે નોંધાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 77 કિમી નચે હતું. ભૂકંપનો આંચકો તેલંગાણાની સરહદે પ્રણહિતા નદી પાસેના જાફરાબાદ ચક ગામમાં નોંધવામાં આવ્યો હતો.
25મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશમાં પણ ઓછી તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
25મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ઓછી તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. આ વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપ સવારે લગભગ 4.08 કલાકે આવ્યો હતો. તે પાંચ કિલોમીટરની ઉંડાઈએ શિમલા જિલ્લામાં કેન્દ્રિત હતું