કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજરોજ સવારે 6.21 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ છે. ભુકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇપણ પ્રકારના નુકસાન અંગેની જાણકારી પ્રાપ્ત થઇ નથી.
જો કે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે જેના કારણે લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ જોવા મળે છે.
જો કે આ ભૂકંપનો આંચકો સુરેન્દ્રનગરની આસપાસ સુધી અનુભવાયો છે. જેમાં થાન-ચોટીલા સહિતના આસપાસના વિસ્તારના લોકોએ પણ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે.
જો કે સુરેન્દ્રનગર તેમજ આસપાસના વિસ્તારમાં આ ભૂકંપનો આંચકાની તીવ્રતા 1.9 નોંધાઇ છે. જો કે સામાન્ય ધરા ધ્રુજવાથી પણ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.