ગુજરાતના ગીર સોમનાથમાં ભૂંકપના આંચકા અનુભવાયો છે. તાલાલાથી 17 કિમી દુર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયોનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિન્દુ તલાલાથી 17 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયુ છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગુજરાતના ગીર સોમનાથમાં ભૂંકપના આંચકા અનુભવાયો છે. તાલાલાથી 17 કિમી દુર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયોનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિન્દુ તલાલાથી 17 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયુ છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
16 એપ્રિલે પણ અનુભવાયો હતો આંચકો
ગીર સોમનાથના તાલાળા તાલુકામાં ભૂકંપના આચકો અનુભવાયો છે. ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સામાન્ય ધ્રુજારીથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં આ પ્રકારના ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા છે. જેને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે.
15 એપ્રિલે પણ આવ્યો હતો ભૂકંપ
ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
વારંવાર અનુભવાઇ રહ્યા છે આંચકા
ઉલ્લેખનીય છે ચાલુ મહિનામાં ગીર-સોમનાથ વિસ્તારમાં ચાલુ મહિનામાં કુલ 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. વારંવાર બનતી ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ભૂકંપને પગલે કોઇપણ પ્રકારની જાનહાની થયાંના સમાચારો પ્રાપ્ત થયાં નથી.