ગુજરાત પર હાલ જાણે એક પછી એક સંકટ આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર રાજ્યમાં દેખાઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી જામનગર સહિત કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ગઇકાલે કચ્છમાં મોડી રાત્રે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે જામનગરમાં મોડી રાત્રે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયાં છે.
કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા
રાત્રે 3.22 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા
3.4ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાતમાં કોરોનાના કહેર અને વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં ગઇકાલે મોડી રાત્રે ભૂકંપના આંચકો અનુભવાયો છે. ગઇકાલે મોડી રાત્રે 3.22 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
કચ્છ જિલ્લામાં મોડી રાત્રે અનુભવાયેલો ભૂકંપના આંચકાની તીવ્રતા 3.4 હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ભૂકંપનું એપી સેન્ટર ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું છે.
જામનગર જિલ્લામાં મોડી રાત્રે ધરા ધ્રૂજી ઉઠી
જામનગર પંથકમાં ફરી ધરા ધ્રુજી છે. ગઇકાલે મોડી રાત્રે માત્ર આઠ મીનિટમાં ત્રણ આંચકા અનુભવાયાં છે. પંથકમાં રાત્રે 12-40થી 12-48 વચ્ચેના સમયગાળામાં 1.8, 1.6 અને 2.1ની તીવ્રતાના આંચકા અનુભવાયાં છે.
ઉલ્લેખનીય છે કે હાલ છેલ્લા થોડા દિવસોથી જામનગર પંથક તેમજ કચ્છમાં ભૂકંપના આંચકા વારંવાર અનુભવામાં આવ્યાં છે. ત્યારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે તીવ્રતા ઓછી હોય કોઇ જાનહાનિના અહેવાલ મળ્યાં નથી.