ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં જામનગરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયાં છે. શહેરમાં સવા કલાકના સમયગાળામાં 4 વખત આંચકા અનુભવાયાં છે.
જામનગરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા
સવા કલાકના ગાળામાં 4 વખત આવ્યા આંચકા
ભૂકંપનું કેન્દ્રબિંદુ લાલપુરથી 29 કિલોમીટર દૂર
રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં એવા જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે મોડી રાત્રે માત્ર સવા કલાકના સમયગાળામાં જ 4 ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો સફાળા ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે હજુ સુધી તંત્રને કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
જામનગર શહેરમાં મોડી રાત્રે 11-19 થી મધ્ય રાત્રિ 12-25 સુધીના સમયગાળામાં ભૂકંપના 4 આંચકા અનુભવાયાં હતા. હાલમાં પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાલપુરથી 29 કિલોમીટર દૂર નોંધાયું છે.
જામનગરમાં શહેરમાં રાત્રે સવા કલાક દરમિયાન ભૂકંપના ચાર આંચકા અનુભવાયાં હતા. જે રિકટર સ્કેલ મુજબ 2.8. 3.4, 2.9 અને 2.1ની તીવ્રતાના આંચકા અનુભવાયાં હતા. આમ હાલારમાં સામાન્ય તીવ્રતાના 4 આંચકા અનુભવાયાં છે.