છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની ધરતી ફરી ગઇકાલે ત્રણ વખત ધણધણી ઉઠી હતી. જેને લઇને સૌરાષ્ટ્રવાસીઓને ફરી કચ્છના ભૂકંપની યાદ તાજા થઇ ગઇ હતી. જ્યારે 26 જાન્યુઆરી 2001 ના રોજ ભૂકંપે કચ્છ સહિત રાજ્યમાં તારાજી સર્જી હતી.
સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 3 ભૂકંપ અનુભવાયા
ગીરસોમનાથના તાલાલામાં 1.7ની તીવ્રતાનો ભૂકંપ
કચ્છમાં 2 આંચકા અનુભવાયા
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગીર સોમનાથમાં એક સ્થળ પર અને કચ્છમાં બે સ્થળ પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ગીરસોમનાથના તલાલામાં 1.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે કચ્છમાં રાત્રે 10.42 વાગે 1.8ની તીવ્રતા અને મોડી રાત્રે 2 વાગે 1.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો.
આ અગાઉ બનાસકાંઠા ખાતે વાવ પંથકમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં સતત 5 દિવસ સુધી 8 આંચકા અનુભવાયાં હતા. જ્યારે ગત મહિને નવસારીના વાસંદમાં તાલુકાઓના ગામડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.
ભૂકંપ કેમ આવે છે?
ધરતી પરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાના ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે.
પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી હલવા લાગે છે. વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે. મોટા આંચકાના અનેક મહિના કે સપ્તાહો બાદ હળવા ભૂકંપ આવે છે, આ હળવા આંચકાને આફ્ટરશોક કહેવામાં આવે છે.