ગીર-સોમનાથના તાલાળામાં એક જ રાતમાં 15 વાર ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તાલાળા પંથકમાં રાત્રે પોણા બે વાગ્યાથી લઇને સવારે સાડા સાત સુધીમાં સામાન્ય તીવ્રતાના સમયાંતરે 15 આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો છે.
તાલાળામાં એક જ રાતમાં ભૂકંપના 15 આંચકા
રાત્રે પોણા બે વાગ્યાથી લઈને સવારે સાડા સાત સુધીમાં આવ્યા આંચકા
સામાન્ય તીવ્રતાના સમયાંતરે 15 આંચકા અનુભવાયા
તાલાળાની ધરતીના પેટાળમાં શું ચાલી રહ્યું છે? એક રાત્ર દરમિયાન 15 આંચકા અનુભવતાં લોકોમાં ફરી કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઇ ગઇ હતી. જો કે 15 આંચકાઓની તીવ્રતા સામાન્ય હોવાના કારણે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
કેટલા વાગે કેટલી તીવ્રતાનો આંચકો?
રાત્રે 1.42 વાગે 1.7ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3 વાગે 2.2ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.46 વાગે 3.3ની તીવ્રતા
રાત્રે 3.55 વાગે 3.1ની તીવ્રતા
રાત્રે 3.56 વાગે 3.2ની તીવ્રતા
રાત્રે 3.58 વાગે 1.8ની તીવ્રતા
રાત્રે 4.07 વાગે 2.4ની તીવ્રતા
સવારે 4.44 વાગે 2.9ની તીવ્રતા
સવારે 5.26 વાગે 2.0ની તીવ્રતા
સવારે 5.27 વાગે 3.1ની તીવ્રતા
સવારે 5.28 વાગે 2.5ની તીવ્રતા
સવારે 5.35 વાગે 1.8ની તીવ્રતા
સવારે 5.40 વાગે 1.4ની તીવ્રતા
સવારે 6.09 વાગે 2.0ની તીવ્રતા
સવારે 7.34 વાગે 3.1ની તીવ્રતાનો આંચકો
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં