ગુજરાતમાં ભૂકંપનું નામ પડે એટલે તરત જ કચ્છ યાદ આવે. 2001ની 26 જાન્યુઆરીએ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આવેલ ભૂકંપને પગલે જાન-માલનું ખૂબ જ નુકસાન થયું. મોટી સંખ્યામાં લોકોના મોત થયાં. કચ્છમાં સૌથી વધુ નુકસાન થયું કારણ કે તે ભૂકંપનું એપી સેન્ટર હતું ત્યારે હવે છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે જેમાં કચ્છ બાદ હવે જામનગરનું નામ આવી રહ્યું છે.
જામનગરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા
છેલ્લા 6 દિવસમાં 11 આંચકા અનુભવાયા
છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા છે આંચકા
આપને જણાવી દઇએ કે, કચ્છમાં આવેલા ભૂકંપ બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે, સૌરાષ્ટ્ર પંથકના જામનગર જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં 11 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. તીવ્રતા જોકે વધુ નહીં હોવાને કારણે કોઇ જાનહાની થઇ નથી પરંતુ વારંવાર આ રીતે આવી રહેલા ભૂકંપના આંચકા ખરેખર ચિંતાજનક બાબત ગણી શકાય. ત્યારે ક્યારે અને કેટલી તીવ્રતાના આંચકા છેલ્લા 6 દિવસમાં અનુભવાયા તેની માહિતી નીચે મુજબ છે.
ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાતે(13-09-20)ના રોજ જામનગરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં મોડીરાત્રે ભૂકંપના 3 આંચતા અનુભવાયા હતા જો કે, તીવ્રતા વધુ નહીં હોવાને કારણે કોઇ જાનહાની થઇ નથી. નોંધનીય છે કે, પહેલો આંચકો રાત્રે 2 વાગ્યે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો હતો.
બેરાજા નજીક ભૂકંપનું એપી સેન્ટર
બીજો રાત્રે 2:20 વાગ્યે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અને ત્રીજો રાત્રે 3:37 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ત્રણેય ભૂકંપનું કેન્દ્રબિંદુ બેરાજા નજીક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે.
9-9-20ના રોજ 5 આંચકા અનુભવાયા હતા
જામનગરમાં મંગળવાર અને 9-9-20ના રોજ 5 આંચકા અનુભવાયા હતા. આ કરણા અને વાગડિયા ગામ નજીક કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું.
8-9-20ના દિવસે 2 આંચકા
16 મિનિટમાં જ 2 ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 4:14 વાગ્યે અને 4:30 વાગ્યે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિકટર સ્કેલ પર 2.0ની તીવ્રતાનો આંચકો જોવા મળ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 22 કિમિ દૂર છે. જયારે બીજો આંચકો 2.2ની તીવ્રતાનો અનુભવાયો છે. ભુકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 13 કીમી દુર છે.
16-17 ઓગસ્ટના રોજ અંદાજે કુલ 9 વખતા આચંકા
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં જામનગરમાં 16-17 ઓગસ્ટના રોજ અંદાજે કુલ 9 વખતા આચંકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?