ગીર સોમનાથમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. બપોરે 12.23 મિનિટે તાલાલા-વેરાવળ વિસ્તારમાં ભૂકંપના આંચકો અનુભવાયો. ઉનાથી 41 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું.
ભૂકંપનો સિલસિલો છેલ્લા કેટલાય સમયગાળાથી ચાલ્યો આવે છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં 3.5ની તીવ્રતાના આંચકાએ સ્થાનિકોના જીવ પડીકે બાંધ્યા હતા.
બપોરના 12.23 કલાકે તાલાલા અને વેરાવળમાં આંચકો આવતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી 41 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં નોંધાયું હતું. બપોરે 12.23 મિનીટે આવેલા 3.5ની તીવ્રતાના ભૂકંપને પગલે કોઇજાનહાનિ થઇ હોવાના સમાચારો પ્રાપ્ત થયાં નથી.
થોડા સમય પહેલ ગોંડલ અને વલસાડમાં પણ અનુભવાયા હતા આંચકા
ગોંડલ અને વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ઉમવાળાની ધરા ધ્રુજી છે. મોટા ઉમવાળા નજીક 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 1.8 કિમી દૂર છે.
ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગોંડલમાં બપોરના સમયે 12.30 આસપાસ આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા સામાન્ય હોવાથી કોઇ પ્રકારની જાનહાની થવા પામી નથી.
મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર બાદ વલસાડ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરમપુરના આવધા હનમતમાળ વિસ્તારમાં બપોરના સમયે 1 કલાક આસપાસ ધરા ધ્રૂજી હતી. જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા. જો કે આ ભૂકંપની તીવ્રતા 2.1 નોંધાઇ હતી. જ્યારે અહીં દિવાલોને નુકસાન થવા પામ્યું હતું.
2001માં આવેલ કચ્છનો ભૂકંપ છે યાદગાર
2001માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી. તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી. 2001માં આવેલ ભયંકર ભૂકંપને પગલે કેટલાય લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા.