એલોવેરાની માંગ હાલ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ છે.
કોરોના સંકંટની વચ્ચે નોકરી છૂટી ગઈ હોય તો આ કામનું છે
એલોવેરાની ખેતી દ્વારા કરો લાખોની કમાણી
એક વખત જ કરવું પડશે રોકાણ
કોરોના સંકંટની વચ્ચે નોકરી છૂટી ગઈ છે તો ચિંતાની જરૂર નછી. ફક્ત 50 હજાર રૂપિયા લગાવીને 3 લાખથી 5 લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરી શકાય છે. તેના માટે તમારા માટે ખેતી લાયક જમીન અને શરૂઆતી ખર્ચ માટે મામૂલી રકમ હોવી જરૂરી છે. એલોવેરાનો ઉપયોગ દવાઓ અને સૌંદર્ય ઉત્પાદોમાં ખૂબ કરવામાં આવે છે. એવામાં એલોવેરાની માંગ પણ ખૂબ વધી ગઈ છે. જોકે આ ખેતી તમારી આર્થિક મુશ્કેલીઓને ખતમ કરી શકે છે.
કેટલો થશે ખર્ચ અને કેટલી થશે કમાણી?
એલોવેરાની ખેતી માટે પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેને એક વર્ષ લગાવ્યા બાદ તમે ત્રણ વર્ષ સુધી પાક લઈ શકો છો. દર વર્ષે તેનો ખર્ચ પણ ઓછો થઈ જાય છે જ્યારે કમાણી વધતી જાય છે. એલોવેરાનો પાક તૈયાર થવા પર તેને મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સાથે જ સીધા મંડિયોમાં પણ વેચી શકે છે. આ ઉપરાંત જો તમે પોતાના બિઝનેસને વધારવા માંગો છો તો એલોવેરાની પ્રોસેસિંગ યુનિટ સતત વધારે ફાયદો કરી શકે છે. પ્રોસેસિંગ યુનિટથી એલોવેરા જેલ અથવા જ્યુસ વેચીને સારી કમાણી કરી શકો છો. નાની એક પ્રોસેસિંગ યુનિટ લગાવવાનો ખર્ચ લગભગ 5 લાખ રૂપિયા છે.
કેવી જમીન અને સીઝનમાં થાય છે વધારે ઉપજ
એલોવેરાની ખેતી ઉજ્જડ જમીનથી લઈને મેદાની ક્ષેત્રોમાં પણ કરવામાં આવી શકે છે. જોકે આજકાલ આવી ખેતી દેશના દરેક ભાગોમાં કરી શકાય છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમર્શિયલ લેવલ પર તેનું ઉત્પાદન કરી રહ્યા છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખૂબ જ ઓછા પાણીમાં અને શુષ્ક ક્ષેત્રમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. એલોવેરાની સારી ખેતી માટે સૌથી જરૂરી તાપમાન 20થી 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જોકે આ છોડ કોઈ પણ તાપમાન પર પોતાને બચાવી શકે છે. તેની કિંમતોમાં આઈસી 111271, આઈસી 111280, આઈસી 111269 અને આઈસી 111273નું કોમર્શિયલ ઉત્પાદન કરવામાં આવી શકે છે. તેમાં મળતી એલોડીનની માત્રા 20થી 23 ટકા સુધી હોય છે.