આ ખાસ બિઝનેસને તમે બસ 25,000 રૂપિયા વાર્ષિક રૂપિયાના ખર્ચથી શરૂ કરી શકો છો અને તેમાંથી તમે સરેરાશ 1.75 લાખ રૂપિયા મહિનાની કમાણી કરી શકો છો.
આ બિઝનેસમાં થશે જબરદસ્ત ફાયદો
મહિને ફક્ત 25,000નું કરો રોકાણ
થશે લાખોમાં કમાણી
જબરદસ્ત નફો કમાવવા માટે આ ખાસ બિઝનેસને તમે બસ 25,000 રૂપિયા વાર્ષિક રૂપિયાના ખર્ચથી શરૂ કરી શકો છો અને તેમાંથી તમે સરેરાશ 1.75 લાખ રૂપિયા મહિનાની કમાણી કરી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ મત્સપાલન (Fish Farming)ના વ્યવસાય વિશે. મત્સ પાલન પણ આજકાલ ખૂબ જ સારો નફો કમાઈને આપી રહ્યું છે.
માત્સપાલન બિઝનેસ
મત્સપાલન બિઝનેસ આજ કાલ ખૂબ વધારે પ્રચલિત થઈ રહ્યું છે. સરકારની મદદથી શરૂ કરવામાં આવતા આ બિઝનેસમાં 2 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી શકાય છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર પણ ઘણી સુવિધાઓ આપે છે. તમે જે રાજ્યમાંથી તેને શરૂ કરવા માંગો છો ત્યાંથી મત્સ્ય સંબંધિત ઓફિસમાં તેની પુછપરછ કરાવી શકો છો.
કઈ રીતે કરશો શરૂઆત?
જો તમે પણ મત્સ્ય પાલનનો વ્યવસાય કરી રહ્યા છો અથવા તેને શરૂ કરવા માંગો છો તો તેની આધુનિક ટેકનીક તમને બમ્પર ફાયદો આપી શકે છે. મત્સ્ય પાલન માટે હાલના દિવસોમાં બાયોફ્લોક ટેક્નિક (Fish Farming Business by Biofloc Technique) ખૂબ જ ફેમસ થઈ રહી છે. ઘણા લોકો આ ટેક્નિકનો ઉપયોગ કરીને લાખોમાં કમાણી કરે છે.
કેટલો આવશે ખર્ચ
Fish Farming બિઝનેસ માટે Biofloc Technique એક બેક્ટેરિયાનું નામ છે. આ ટેક્નિક દ્વારા મત્સ્ય પાલકોનો બિઝનેસ ખૂબ જ સરળ થઈ જાય છે. તેમાં મોટા મોટા ટેન્કોમાં માછલીઓને નાખવામાં આવે છે. આ ટેન્કોમાં પાણી નાખવા, કાઢવા, તેમાં ઓક્સીઝન આપવા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. બાયોફ્લોક બેક્ટેરિયા માછલીના મળને પ્રોટીનમાં બદલી દે છે. જેથી માછલીઓ તેને ફરી ખાઈ લે છે. તેનાથી એક-તૃત્યાંશ ફીડની બચત થઈ જાય છે. પાણી પણ ગંદુ થવાથી બચી જાય છે. જો ખર્ચની વાત કરવામાં આવે તો તમે 7 ટેન્કથી પોતાનો વ્યાપાર શરૂ કરી શકો છો તેના સેટઅપમાં લગભગ 7.5 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. જોકે તમે તળાવમાં માછલીને ઉછેરીને પણ સારી કમાણી કરી શકો છો.
થશે જબરદસ્ત નફો
મત્સ્ય પાલન એક એવો બિઝનેસ છે જેમાં તમને ઓછા ખર્ચની સાથે સારો ફાયદો મળે છે. સરકાર પણ મત્સ્ય પાલનના વ્યવસાયને વધારો આપી રહી છે. માછલી પાલકોને પ્રોત્સાહિત કરવા માટે છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો પણ આપ્યો છે. રાજ્ય સરકારે મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને ઈન્ટરેસ્ટ ફ્રી લોનની પણ સુવિધા આપી છે. સાથે જ માછીમારો માટે વીમા યોજના અને સબ્સિડી પણ સરકારીની તરફથી આપવામાં આવે છે.
સરકારે આપી છે સબ્સિડી
ઘણા અલગ અલગ રાજ્યોમાં ફિશરીઝ માટે ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવે છે. ખેડૂત આ ટ્રેનિંગ બાદ આ વ્યવસાયમાં ફક્ત 25 હજાર રૂપિયા લઈને નફો કમાવવા લાગે છે. માટે તમારી પાસે અમુક ટેક્નિક અને જગ્યા હોવી જોઈએ. તે હેઠળ માછીમારો માટે વીમા યોજના અને સબ્સિડી પણ સરકારની તરફથી મળી રહી છે.