કેન્દ્ર સરકાર તરફથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાંથી એક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ, રીક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનારા શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ મળશે.
55 રૂપિયા એક મહિનામાં જમા કરવા પડશે
આ યોજના હેઠળ સરકાર શ્રમિકોને પેન્શનની ગેરંટી આપે છે. આ યોજનામાં તમે દરરોજ ફક્ત 2 રૂપિયા બચાવીને વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરવાથી તમને દર મહિને 55 રૂપિયા એટલેકે દરરોજ 2 રૂપિયાથી ઓછા જમા કરવા પડશે. એટલેકે 18 વર્ષની ઉંમરવાળા દરરોજ અંદાજે 2 રૂપિયા બચાવીને તમે વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
મહિને 3000 રૂપિયા પેન્શન મળશે
જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કીમને શરૂ કરશે તો દર મહિને તેણે 200 રૂપિયા જમા કરાવવા પડશે. 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ તમને પેન્શન મળવાનુ શરૂ થશે. 60 વર્ષ બાદ તમને 3000 રૂપિયા મહિને એટલેકે 36,000 રૂપિયા વર્ષનું પેન્શન મળશે.
આ રીતે કરાવુ પડશે રજીસ્ટ્રેશન
જેના માટે તમારે યોજના માટે કોમન સર્વિસ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. CSC સેન્ટરમાં પોર્ટલ પર શ્રમિક પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. આ સેન્ટર્સ દ્વારા ઓનલાઈન બધી માહિતી ભારત સરકારને જશે.