2 કરોડમાં ખરીદાયેલી જમીન ગણતરીની મિનિટોમાં 18.5 કરોડમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી. ટ્રસ્ટે એ જ દિવસે એ જ જમીનો બીજો ટુકજો 8 કરોડમાં ખરીદ્યો.
2 કરોડની જમીન થોડીક જ મિનિટમાં 18. 5 કરોડની થઈ
11 વર્ષોમાં જમીનનો દાખલો રદ્દ ન થયો, ટ્રસ્ટની ખરીદી બાદ 1 મહિનામાં રદ્દ
18.5 કરોડની જમીનનો બીજો ટુકડો 8 કરોડમાં એ જ દિવેસે ખરીદાયો
11 વર્ષોમાં જમીનનો દાખલો રદ્દ ન થયો, ટ્રસ્ટની ખરીદી બાદ 1 મહિનામાં રદ્દ
રામ મંદિરની જમીનનો વિવાદ હજું યથાવત છે. 2011થી 2021 પૂરા 10 વર્ષ દરમિયાન આ જમીને લઈને તમામ વિવાદ વકર્યા છે અને આ વિવાદના કેટલાક પોઈન્ટ એવા હતા જેમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા ખરીદવમાં આવેલી આ જમીનના સૌદા પર સવાલ ઉભા કરે છે. હરિશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી જે જમીનને ખરીદી સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીએ ટ્ર્સ્ટને વેચી તે જમીનના 10 વર્ષમાં જમીનનો દાખલો રદ્દ ન કરાયો. જ્યારે ટ્રસ્ટને જમીન વેચવાના એક મહિના બાદ જમીનનો દાખલો રદ્દ થઈ ગયો.
2011થી સતત આ જમીન પર ડીલ કરી રહ્યા હતા
હરિશ પાઠક અને કુસુમ પાઠક 2011થી સતત આ જમીન પર ડીલ કરી રહ્યા હતા. જેમાં એક કરાર 20 નવેમ્બર 2017 ને 2 કરોડ 16 લાખમાં થયો હતો. આ જમીનના એગ્રીમેન્ટમાં બસપાના પૂર્વ ધારાસભ્ય રહેલા જિતેન્દ્ર સિંહ બબલૂના પિતા ઈચ્છારામ સિંહનું નામ સામેલ હતુ. પરંતુ હરિશ પાઠકના નામે દાખલ દાખલો રદ્દ ન થયો તો જિતેન્દ્ર સિંહ બબલૂ દ્વારા કરવામાં આવેલો એગ્રીમેન્ટ રદ્દ થઈ ગયો.
નવો એગ્રીમેન્ટ રવિ મોહન તિવારી અને ઈરફાન અંસારીના દીકરા સુલ્તાન અંસારીની સાથે
2019માં હરિશ પાઠક દ્વારા કરવામાં આવેલા જમીનના સોદા પર 9 કેસ દાખલ થયા. 17 સપ્ટેમ્બર 2019માં સુલ્તાન અંસારીના પિતા ઈરફાન અંસારી અને જિતેન્દ્ર સિંહ બબલૂના પિતા ઈચ્છારામ સહિત 9 લોકોની સાથે 2 કરોડમાં કરાર થયો પરંતુ જ્યારે ટ્રસ્ટ દ્વારા આ જમીન ખરીદાવા લાગી તો 9 લોકોની સાએથ કરવામાં આવેલો એગ્રીમેન્ટ રદ્દ થઈ ગયો અને નવો એગ્રીમેન્ટ રવિ મોહન તિવારી અને ઈરફાન અંસારીના દીકરા સુલ્તાન અંસારીની સાથે થયો.
જમીનની કિંમત 5 કરોડ 79 લાખ 84000 રુપિયા
જે જમીનને 11 વર્ષોમાં હરિશ પાઠક અને કુસુમ પાઠક વિવાદોના ચાલતા દાખલો રદ્દ ન કરાવી શક્યા. 3 વાર અલગ અલગ લોકો સાથે એગ્રીમેન્ટ કર્યા. તેનો રામ મંદિર ટ્ર્સ્ટની સાથે સોદો થતા દાખલો રદ્દ થઈ ગયો. જે જમીન રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 18.50 કરોડમાં ખરીદવામાં આવી છે. તે જમીનની કિંમત 5 કરોડ 79 લાખ 84000 રુપિયા છે. ટ્રસ્ટ દ્વારા આ જમીનને 3 ગણા વધારે ભાવે ખરીદવામાં આવી છે.
18.5 કરોડની જમીનનો બીજો ટુકડો 8 કરોડમાં એ જ દિવેસે ખરીદાયો
જે દિવસે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી પાસેથી 2 કરોડની જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી. તે જ દિવસે એજ જમીનનો ટુકડો ટ્રસ્ટ દ્વારા 8 કરોડમાં હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી સીધી ખરીદી હતી.
2 કરોડની જમીન થોડીક જ મિનિટમાં 18. 5 કરોડની થઈ
ટ્રસ્ટે ખરીદેલી 1.208 હેક્ટર જમીન 18 માર્ચે પહેલા હરિશ અને કુસુમ પાઠક દ્વારા સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીને 2 કરોડમાં વેચવામાં આવી અને પછી એજ જમીન ગણતરીની મિનિટોમાં 18.5 કરોડમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી હતી.