કાન વીંધાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે. પ્રાચીન સમયમાં ફક્ત મહિલાઓ જ નહીં, પુરુષો પણ કાન વીંધાવીને કુંડળ પહેરતાં હતાં. આ પરંપરા પણ આપણા સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલી છે.
એવામાં જો તમે વિચારો કે કાન વીંધાવવું એ માત્ર ફેશન માટે કે સારું દેખાવા માટે કરવામાં આવે છે તો તમારી માન્યતા ખોટી છે. કાન વીંધાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
- આર્યુવેદ અનુસાર કાનના બહારના ભાગમાં સેન્ટરનો ભાગ સૌથી મહત્વનો પોઇન્ટ હોય છે. આ એક એવો ભાગ છે જે પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય માટે મહત્વનો માનવામાં આવે છે. એટલુ જ નહી કાન વીંધાવવાથી મહિલાઓની મેન્સ્ટુઅલ સાઇકલ એટલે કે માસિક ધર્મ યોગ્ય અને હેલ્ધી રહે છે.
- જો નાની ઉંમરમાં જ બાળકનો કાન વીંધાવવામાં આવે તો મગજનો વિકાસ સારી રીતે થાય છે. ઇયર લોબ્સ એટલે કે કાનનો બહારનો ભાગમાં મધ્યાહ્ન પૉઇન્ટ હોય છે જે બ્રેનને લેફ્ટ હેમિસ્ફિયરના રાઇટ હેમિસ્ફિયરની સાથે જોડવાનું કામ કરે છે. કાનના આ ભાગને વીઁધાવવામાં આવે તો મગજના આ ભાગ એક્ટિવ થઇ જાય છે. એક્યુપ્રેશર થેરપી અનુસાર, જ્યારે આ મેરિડિયન પૉઇન્ટને ઉત્તેજિત કરવામાં આવે તો મગજ વધારે ઝડપી રીતે વિકાસ પામે છે.
- કાનના સેન્ટર પૉઇન્ટ પર જ આંખોની રોશનીનું સેન્ટર આધાર કરે છે. એવામાં જો આ પૉઇન્ટ્સ પર વીંધવવામાં આવે તો પ્રેશરને કારણે આઇસાઇટ એટલે કે આંખની રોશની સારી થશે.
- આર્યુવેદનું માનવામાં આવે તો જ્યાં કાન વીંધાવવામાં આવે તે સૌથી મહત્વનો એક્યુપ્રેશર પોઇન્ટ છે જે બાળકોની સાંભળવાની ક્ષમતાને મેન્ટેન કરવાનુ કામ કરે છે. એક્યુપ્રેશર એક્સપર્ટ અનુસાર, કાનમાં સણકા મારતા હોય એવી સમસ્યાથી છૂટકારો મેળવવા પણ કાનમાં પાડેલું કાણું ફાયદાકાર સાબિત થાય છે.
- કાન વીંધાવવાથી મગજનું ડેવલપમેન્ટ ઝડપથી થાય છે. આ સાથે જ ઇયર પિયરસિંગને કારણે મિર્ગી જેવી સમસ્યાને રોકવામાં મદદ મળે છે. એક્યુપ્રેશર થિયરીની માનવામા આવે તો આ ભાગ મગજના માસ્ટર સેરેબ્રલનો ભાગ પણ હોય છે જે મગજના મોટાભાગના ફંક્શન્સની જવાબદારી લે છે. એવામાં જો આ પૉઇન્ટ પર વીંધાવવામાં આવે તો પ્રેશર કરવાથી એન્ઝાઇટી, તણાવ અને ઘભરામણ જેવી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ મળે છે.