મોદી સરકારની સત્તાની 8મી વર્ષગાંઠે વિદેશમંત્રી એસ.જયશંકરે એવું મોટું નિવેદન આપતા એવું કહ્યું કે મોદી સરકારે આઠ વર્ષમાં લોકોની સેવા કરનારી વિદેશ નીતિ બનાવી છે.
સત્તામાં મોદી સરકારના પૂરા થયા આઠ વર્ષ
વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન
કહ્યું-આઠ વર્ષમાં લોકોની સેવા કરનારી વિદેશ નીતિ બનાવી
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે જનકેન્દ્રિત વિદેશ નીતિ વિકાસ, સુરક્ષા અને સભ્યતાને પ્રોત્સાહન અને કૂટનીતિ પર ભાર મૂક્યો છે.
— Office of JP Nadda (@OfficeofJPNadda) May 30, 2022
પીએમ મોદીની વિદેશનીતિ લોકોની સેવા માટે સમર્પિત
મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવાના અવસર પર જયશંકરે ટ્વિટમાં કહ્યું કે, "પીએમ મોદીની જનકેન્દ્રિત વિદેશ નીતિના 8 વર્ષ. તે આપણા વિકાસ, સુરક્ષા અને સંસ્કૃતિ માટે મુત્સદ્દીગીરી છે. આ એક કૂટનીતિ છે જે તેના લોકોની સેવા માટે સમર્પિત છે." તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન પાસપોર્ટ વિતરણમાં ધરખમ ફેરફારો થયા હતા અને તેને ઝડપી, ભ્રષ્ટાચાર મુક્ત અને લોકો માટે સરળ બનાવ્યું હતું.કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ દરમિયાન વિદેશોમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન યૂક્રેનથી ભારતીયોને લાવવા માટે વંદે ભારત મિશન, ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું અને બીજા ઘણા કામો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નબળાં વર્ગો અને મજૂરોનાં કલ્યાણનો વ્યાપ વધ્યો છે તથા ભારતીય પ્રતિભાઓ, વ્યાવસાયિકો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે તકો વધી છે.
દેશમાં રોજગારની તકો ઉભી કરી
જયશંકરે કહ્યું કે આ સમયગાળા દરમિયાન (છેલ્લા આઠ વર્ષ) સરકારે ભારતીય રોકાણ અને નિકાસને ટેકો આપ્યો હતો અને દેશમાં રોજગારની તકો ઉભી કરી હતી. તેમણે વિવિધ દેશો સાથે વિશ્વસનીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય સમર્થન દ્વારા વિશ્વસનીય રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો. "આ સમયગાળા દરમિયાન, ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને વિશ્વમાં આપણી વિશ્વસનીયતા વધી.
મોદી સરકારના આઠ વર્ષ પુરા થયા
ઉલ્લેખનીય છે કે સત્તામાં મોદી સરકારના આઠ વર્ષ પુરા થયા છે આ પ્રસંગે ઘણા કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ જેપી નડ્ડા, અમિત શાહ તથા પીએમ મોદીએ તેમની સરકારના ગુણગાન કર્યાં હતા અને લોકપયોગી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.