વિદેશમંત્રી જયશંકર અને યુએન મહાસચિવ એન્ટોનિઓ ગુટરસે ન્યૂયોર્ક સ્થિત યુએન મુખ્યાલયમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
ન્યૂયોર્ક સ્થિત યુએન મુખ્યાલયમાં ગાંધીજીની મોટી પ્રતિમાનું અનાવરણ
વિદેશમંત્રી જયશંકર અને યુએન મહાસચિવ ગુટરસે રહ્યાં હાજર
જયશંકરે UNSCના સેશનનું નેતૃત્વ કર્યું
આતંકના મુદ્દે ફરી પાકિસ્તાન અને ચીન પર સાધ્યું નિશાન
ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્ક સ્થિત યુએન મુખ્યાલયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગને સંબોધિત કરતા જયશંકરે કહ્યું કે આજે જ્યારે વિશ્વ હિંસા, સશસ્ત્ર સંઘર્ષ અને માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યું છે. વિશ્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવામાં મહાત્મા ગાંધીના આદર્શો આપણને માર્ગદર્શન આપી શકે છે.
#WATCH | EAM Dr S Jaishankar and UN Secretary-General António Guterres unveil the bust of Mahatma Gandhi at the United Nations Headquarters in New York pic.twitter.com/CmgwB9lf43
બહુપક્ષીય મંચોનો દુરપયોગ ગુનેગારોને બચાવવા માટે કરાઈ રહ્યો છે
જયશંકરે કહ્યું કે આતંકવાદના પડકાર પર વિશ્વના મોટાભાગના દેશો દ્વારા એકસાથે આગળ આવીને સામૂહિક પ્રતિક્રિયા અપાઈ રહી છે. પરંતુ બહુપક્ષીય મંચોનો દુરપયોગ ગુનેગારોને બચાવવા માટે કરાઈ રહ્યો છે. જયશંકરનો ઈશારો સ્પસ્ટ રીતે પાકિસ્તાન અને ચીન તરફી હતો. ઉલ્લેખનીય છે કે જયશંકર અવારનવાર પાકિસ્તાન અને ચીનને લપેટામાં લેતા હોય છે. અમેરિકાની ધરતી પરથી જયશંકર અનેક વાર પાકિસ્તાન અને ચીનને લપેટામા લીધેલા છે. અને હવે ફરી વાર શાંતિના દૂત ગાંધીજીની પ્રતિમાને ખુલ્લી મૂકતા તેમણે બન્ને દેશને મોટો મેસેજ આપ્યો હતો કે શાંતિ સિવાય ક્યારેય પણ પ્રગતિ નહીં થાય.
आतंकवाद की चुनौती पर विश्व के ज्यादातर देशों के द्वारा एक साथ आगे आकर सामूहिक प्रतिक्रिया दी जा रही है। लेकिन बहुपक्षीय मंचों का दुरुपयोग अपराधियों को न्यायोचित ठहराने और उन्हें बचाने के लिए किया जा रहा है: न्यूयॉर्क में UNSC में विदेश मंत्री डॉ. एस. जयशंकर pic.twitter.com/5zwCScdDji
સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવનાર કલાકારે બનાવી છે ગાંધીજીની પ્રતિમા
જાણીતા શિલ્પકાર પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત રામસુતર દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમાને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘને ભેટમાં આપી છે. ગુજરાતમાં સ્થપાયેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની રચના રામસૂરે કરી છે.
યુએનમાં ભારતનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2022એ પૂરો થશે
ઉલ્લેખનીય છે કે યુએનમાં ભારતનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2022 પૂરો થઈ રહ્યો છે તે પહેલા ત્યાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત થઈ છે. પાંચ નવા સભ્યો 1 જાન્યુઆરી, 2023 થી કાઉન્સિલમાં તેમની બે વર્ષની મુદત શરૂ કરશે, જે ભારત, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો અને નોર્વેનું સ્થાન લેશે.