શહેરી બેરોજગારોને રોજગારી મળી રહે તે હેતુસર પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે બીડું ઝડપ્યું છે અને તેણે સરકારે કેટલીક ભલામણો કરી છે. જો સરકાર આ ભલામણો સ્વીકારે તો શહેરી બેરોજગારોને આસાનીથી રોજગારી મળી રહેશે.
શહેરી બેરોજગારી માટે રોજગાર ગેરન્ટી યોજના લાવો
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે (ઇએસી-પીએમ) કહ્યું છે કે સરકારે શહેરી બેરોજગારો માટે રોજગાર ગેરંટી યોજના લાવવી જોઈએ. એટલું જ નહીં, દેશમાં આવકની અસમાનતા ઘટાડવા માટે એક સમાન (સાર્વત્રિક) બેઝિક ઇન્કમ સ્કીમ દાખલ કરવાની સાથે સામાજિક ક્ષેત્ર માટે વધુ ભંડોળ ફાળવવાની ભલામણ પણ આર્થિક સલાહકાર પરિષદે કરી છે.
ગામડાઓમાં ચાલતી મનરેગા યોજના શહેરોમાં લાગુ પાડવાની જરુર
આ સૂચનો ઇએસી-પીએમ રિપોર્ટ 'ધ સ્ટેટ ઓફ ઇન ઇક્વાલિટી ઇન ઇન્ડિયા'માં કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ eac-પીએમના ચેરમેન વિવેક દેવરોયે જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શ્રમબળની ભાગીદારી દર વચ્ચે તફાવત છે. આને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) જેવી યોજનાઓ પણ શહેરોમાં શરૂ કરવી જોઈએ. જેથી વધુને વધુ લોકોને ફરી કામ આપી શકાય.
સામાજિક યોજનાઓ માટે વધારે પૈસા ફાળવો
આર્થિક સલાહકાર પરિષદે પોતાની ભલામણમાં કહ્યું છે કે સરકારે સામાજિક સેવા ક્ષેત્રમાં ખર્ચ માટે ફાળવણી વધારવી જોઈએ. આ દેશની સૌથી આર્થિક રીતે નબળી વસ્તીને અચાનક આવેલા કોઈપણ આંચકાનો સામનો કરવા માટે લડવૈયા બનાવશે અને તેમને ગરીબીમાં જતા અટકાવશે. આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી-પીએમ) અનુસાર, આરોગ્ય, શિક્ષણ, ઘરની લાક્ષણિકતાઓ અને શ્રમ બજારના ક્ષેત્રોમાં અસમાનતાઓ પર એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે 'ભારતની અસમાનતાની સ્થિતિ' અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
સરકાર પરીષદની ભલામણો સ્વીકારે તો શહેરી બેરોજગારોને બખ્ખા
જો સરકાર પીએમની આર્થિક સલાહકારી પરિષદની ભલામણો સ્વીકારે શહેરી બેરોજગારોને નોકરી કે રોજગારી માટે બહાર ક્યાંય ભટકવું નહીં પડે. તેમને તેમના શહેરમાં જ બેરોજગારી મળી જશે.